SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર્ય-સુવાસ મળીને સંતને ત્યાં જ રોકાવા વિનંતી કરી. સંતે કહ્યું : “બંધુઓ ! તમારો પ્રેમ હું સારી રીતે સમજી શકું છું, પરંતુ અમારી સંતોની દુનિયા જુદી જ છે. જેમ માછલીને પાણીની બહાર કાઢો તો તે તરફડિયાં મારીને ફરીથી પાણીમાં જ જવાને ઇચ્છે છે તેમ અમે પણ કોઈક વાર લોકપ્રસંગમાં ખાસ કારણસર આવીએ તોપણ ફરીથી એકાંત પહાડ-ફંગલાદિ તરફ પાછા ફરવાને અમારું મન તલસી રહે છે, કારણ કે એવા એકાંત-નીરવ સ્થાનમાં મૌન સહિત અમે અમારા પ્રભુ સાથે લય લગાવીએ છીએ અને તે પરમાત્મપ્રેમ જ અમારા જીવનને અમર બનાવનાર રસાયણ છે.” – અને બીજે દિવસે સંતે સ્વસ્થાન પ્રતિ વિહાર કર્યો. “ખુદનો ફિરસ્તો વિક્રમ સંવત ૧૯૪પના અરસાની આ વાત છે. એક વાર એક આરબ મુંબઈના એક પ્રતિષ્ઠિત ઝવેરી સાથે હીરાના સોદા કર્યા. સોદા કરતી વખતે એમ નક્કી થયેલું કે અમુક સમુયે નક્કી કરેલા ભાવે આરબ વેપા એ મુંબઈના ઝવેરીને હિરા આપવા. આ બાબતનો દસ્તાવેજ પણ તૈયાર થઈ ગયો. સમય પાકતાં એ હિરાની કિંમત ખૂબ જ વધી ગઈ ! જો આરબ વેપારી દસ્તાવેજમાં લખેલી કિંમતે હીરા આપે તો તેને દેવાળું કાઢવાનો સમય આવે. આ બાજુ તે ઝવેરી જમવા બેસવાની તૈયારી કરતા હતા ત્યારે તેમને સોદો અને સાથે સાથે હીરાના ખૂબ જ વધી ગયેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001294
Book TitleCharitrya Suvas
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy