SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ (જિનાગમની આજ્ઞા મનાય છે. પોતાના માનેલા ઈષ્ટદેવ અથવા સદ્દગુરુદેવની સમક્ષ પોતાથી થતાં નાનામોટા સર્વદોષોની કબૂલાત કરી, અંતરનું શુદ્ધિકરણ કરવું તે સાચી આલોચના છે. આમ આલોચના એટલે વર્તમાનમાં થતાં વિભાવ ભાવોને જ્ઞાતાદ્રા ભાવે જાણી, તેનું સ્વામિન્વ-કર્તાપણું છોડી, આત્માનું શુદ્ધિકરણ કરવું; જયારે પ્રતિક્રમણ એટલે ભૂતકાળમાં થયેલા દોષોનું પ્રાયશ્ચિત્ત કરવું અને પ્રત્યાખ્યાન એટલે ભવિષ્યમાં દોષો ન કરવાની પ્રતિજ્ઞા કરવી, તે છે. | આલોચનાતે “પ્રાયશ્ચિત્ત' નામના પ્રથમ અત્યંતરતપનો પહેલો જ વિભાગ છે (તત્ત્વાર્થસૂત્ર ૯/૨૨). તેથી આ પાઠોનું આલોચનાના ભાવરૂપથી પઠન કે પારાયણ થાય તે અતિ મહત્ત્વનું છે; કારણ કે આલોચનાતે સાધના માટેનું એક વિશિષ્ટ અંગ ગણાય છે. આચાર્યશ્રી રત્નાકરજી પોતાની આત્મ-આલોચના કરવાના પ્રારંભમાં જ પરમાત્માના શ્રીચરણોમાં નિવેદન કરે છે કે “હે પ્રભુ! શું બાળ-લીલામાં મગ્ન બાળક, પોતાના પિતાની સમક્ષ કોઈપણ જાતના વિકલ્પ વગર, પોતાની વાત કરતો નથી? હે નાથ! તે જ પ્રમાણે હું પણ વિનય અને પ્રતિભાવથી યુક્ત થઈને આપની સમક્ષ મારા પોતાના હૃદયના ભાવોને યથાર્થરૂપથી હવે કહીશ” (રત્નાકર પચ્ચીસી/૩). આમ આલોચના કરતી વખતે સાધકનું હૃદય બાળકની માફક ભય, શરમ, સંકોચાદિથી મુક્ત અને વિનય, સરળતાદિથી યુક્ત હોવું જોઈએ. દોષોનું જે પ્રમાણે જાણતા કે અજાણતા સેવન થઈ ગયું હોય તેની યથાર્થપણે પ્રભુ કે ગુરુદેવ સમક્ષ કબૂલાત કરવી જોઈએ અને પ્રત્યક્ષ ગુરુદેવશ્રી જે કાંઈપણ પ્રાયશ્ચિત્ત આપે, તેનો અંતરથી સ્વીકાર કરીને તેનું સમ્યકરૂપે પાલન કરવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy