SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ આમ અનાદિકાળથી થતી પરિગ્રહની મૂછનો અને અસત્ વાસનાના કારણે, સાધકના ચિત્તમાં તથારૂપ અધ્યાત્મ રુચિ લાંબો સમય ટકી શકતી નથી. જેથી સાધના જોઈએ તેવી પરિણામ પામતી નથી. બીજી દ્રષ્ટિથી જોતા ભોગસામગ્રી એટલે મુખ્યત્વે મૈથુન અને પરપદાર્થોમાં મૂછભાવ એટલે પરિગ્રહ. આ બંને સંજ્ઞાઓ છે. સંજ્ઞા એટલે કંઈ પણ આગળ પાછળની ચિતવન શક્તિવિશેષ અથવા સ્મૃતિ. એ જ્ઞાન ગુણનો જ એક વિભાગ છે. સંજ્ઞા કુલ ચાર છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. આ ચારેય સંજ્ઞાઓ એકેન્દ્રિયથી માંડી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના દરેક સરાગી જીવોમાં અનાદિકાળથી અચૂક રહેલી છે. સૂક્ષ્મ મૈથુન સંજ્ઞા નવમા અને પરિગ્રહ સંજ્ઞા દશમા ગુણસ્થાનને અંતે જાય છે, ત્યારે જ જીવ વીતરાગ થાય છે. આમ શાસ્ત્રકારોનું કથન છે. આ દોહરો જૈનેતરોમાં પણ પ્રસિધ્ધ છે. તેમાં “જિન ભજનકુંના સ્થાને હરિ ભજનકું આવે છે. ૮. ત્યાગનો સ્વાંગ અને અમીરીની આશા -- સંસાર છાર તજી ફરી, છારનો વેપાર કરું, પહેલાંનો લાગેલો કચ, ધોઈ કીય બીચ ફરું; તેમ મહાપાપી હું તો, માનું સુખ વિષયથી, રી છે ફકીરી એવી, અમીરીના આશયથી. ૮. સાધક આ સવૈયામાં અજ્ઞાનવશ પોતાથી થતા અપરાધોની કબૂલાત કરતા કહે છે કે હે પ્રભુ! સંસાર છાર એટલે રાખ કહેતા, સંસારની કર્મમલરૂપ મલીનતાને સમજીને તજું તો છું, પણ ફરી પાછો કોઈ ને કોઈ બહાને તેવી જ મલીનતા વધુ ઉત્પન્ન થાય તેવો ઉદ્યમ પણ કરું છું. જેથી પહેલાંનો લાગેલો કર્મરૂપી કિચડનો ઘટાડો થવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy