SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ – આલોચનાદિ ઘધ સંગ્રહ ૧૬૩ તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું એ કાયના જીવોના વૈર બદલાથી નિવૃત્તિ પામીશ. સર્વ ચૌરાસી લાખ જીવયોનિને અભયદાન દઈશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.” શબ્દાર્થ: (૧) ચૌરાસી લાખ જીવયોનિ = પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય, ઈતર નિગોદ અને નિત્ય નિગોદ - દરેકની સાત લાખ યોનિઓ છે. = ૬ X ૭=૪૨ લાખ, વનસ્પતિકાય (પ્રત્યેક)ની ૧૦ લાખ, બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય અને ચાર ઈન્દ્રિય - દરેકની બે લાખ – ૩ X ૨ – લાખ, દેવ, નારકી અને તિર્યંચ (પંચેન્દ્રિય), દરેકની ચાર લાખ = ૩ x ૪ = ૧૨ લાખ અને મનુષ્યની ૧૪ લાખ આમ ૪૨ + ૧૦ + ૬ + ૧૨ + ૧૪ =૮૪ લાખ જીવ યોનિમાં વિશ્વના સર્વ જીવો છે. ભાવાર્થ : હે પ્રભો! જે દિવસ હું એ કાયના જીવોની વિરાધના કરવાથી થયેલા વેરના બદલાથી નિવૃત્તિ પામીશ એટલે કે મોહનીયરૂપ કર્મોથી નિવૃત્તિ પામી તેવા નવા કર્મો કદી ન બાંધું, તેવો દિવસ જ મારા માટે ધન્ય હશે. હે પરમાત્મા! જ્યારે ૮૪ લાખ જીવયોનિમાં ઉત્પન્ન થનારા સર્વ જીવોને અભયદાન દઈશ. તે દિવસ મારો કલ્યાણમય થશે. (અહીં વેર એટલે તથારૂપ કર્મબંધનનો આશય છે. કર્મબંધનના કારણોમાં છેલ્લું કારણ તે યોગ છે. આ યોગોનો સૂકમ વ્યાપારનો નિરોધ તો ચૌદમા ગુણસ્થાને શૈલેશીકરણ અવસ્થામાં જ થઈ શકે છે. સાધક આવી ઉચ્ચ ભાવના અહીં ભાવે છે.) બીજું પાપ મૃષાવાદ-- “ક્રોધવશે, માનવશે, માયાવશે, લોભવશે, હાસ્ય કરી, ભયવશે ઈત્યાદિક કરી મૃષા વચન બોલ્યો, નિંદા-વિકથા કરી, કર્કશ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy