SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૦ બૃહદ્ – આલોચનાદિ uધ સંસાદ ૨૧000 વર્ષનો, જે દુઃખમા દુઃખમા દશાનો હોય છે એટલે કે અત્યંત અશાતામય હોય છે. ઉત્સર્પિણી કાળમાં આનાથી ઊલટી વ્યવસ્થા હોય છે. આપણા આ ભરતક્ષેત્રમાં બંને કાળમાં ચોવીસ ચોવીસ તીર્થકર ભગવંતો થાય છે. આવા અનંત કાળચક્રો પૂર્વે થઈ ગયા. એટલે અનંત ચોવીસીઓ થઈ ગઈ. તે દરેક તીર્થકરને સાધક નમસ્કાર કરે છે. આ સર્વ તીર્થકરો અને બીજા અનંત અરિહંતો જે આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ થઈ ગયા તે સર્વને પણ નમસ્કાર કરે છે. વળી પાંચ મહાવિદેહ ક્ષેત્રો, જ્યાં શાશ્વતો ચોથો આરો જ પ્રવર્તે છે. ત્યાંના વર્તમાનમાં વિહરમાન વીસ જિનેશ્વર ભગવંતો તથા જઘન્ય બે કરોડ અને ઉત્કૃષ્ટ નવ કરોડ કેવળી ભગવંતો, તે સર્વેને સાધક અહીં ભાવથી નમસ્કાર કરે છે. ગણધરાદિ જ્ઞાની ધર્માત્માઓને વંદન -- ગણધરાદિ સબ સાધુજી, સમક્તિ વત ગુણધાર; યથાયોગ્ય વંદન કરું, જીનઆજ્ઞા અનુસાર, સર્વ શ્રી ગણધર ભગવંતો, સકળ સંયમધારી સર્વ આચાર્ય, ઉપાધ્યાય તથા મુનિ મહારાજ સાહેબો, દેશવ્રતધારી સર્વ શ્રાવકગણ, અવિરત સમ્યદ્રષ્ટિ સર્વ જ્ઞાની મહાત્માઓ તથા ગુણોમાં મારાથી જે આગળ વધેલા છે તે સર્વે સાધકોને, જિનેશ્વર ભગવાનની આજ્ઞા પ્રમાણે અને તેમનાથી પ્રણીત કરાયેલા સર્વ વિધિવિધાન અનુસાર, યથાયોગ્ય ભાવપૂર્વક, સાધક અહીં વંદન કરે છે. એક નવકાર મંત્ર ગણવો. ણમો અરિહંતાણં ણમો સિધ્ધાણં, ણમો આયરિયાણં, ણમો ઉવજ્ઝાયાણં, ણમો લોએ સવ્વસાહૂણં. એસો પંચ ણમુક્કારો, સવ પાવ પણાસણો; મંગલાણં ચ સવ્વસિં, પઢમમ્ હવઈ મંગલમ્. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy