SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ – આલોચનાદિ uધ સંaas ૧૧૩ ૨૦. પુણ્યથી સુખ અને પાપથી દુઃખની પ્રાપ્તિ -- પથ પથ ઘટવધ ક્રી, રોગ હાનિ વૃદ્ધિ થાય; પુણ્ય પાપ કિરિયા ક્રી, સુખ દુઃખ જગમેં પાય. ૨૭. અહીં રોગીના આહારાદિ વપરાશનાં દ્રષ્ટાંતથી ગ્રંથકાર સમજાવે છે કે જેમ રોગમાં યોગ્ય ચરી પાળતા, એટલે કે હિતકારી અને જરૂરી આહાર-પાણી લેતાં રોગ હાનિ પામે છે અને અહિતકારી કે અજરૂરી આહાર-પાણી લેતાં રોગની વૃદ્ધિ થાય છે. તેમ ભક્તિ, દયા, દાન, સંયમ, સ્વાધ્યાય, તપ આદિ શુભ સાધનો કરવાથી જીવને શુભભાવરૂપ પરિણામો થતાં પુણ્યકર્મ પ્રકૃતિનો બંધ થાય છે. આવા ભક્તિ અને અનુકંપાના ભાવો જીવ માટે હિતકારી અને જરૂરી છે, કારણ કે આ પુણ્યકર્મના ઉદય વખતે જીવને અનેક પ્રકારની જગતમાં ગણાતી અનુકૂળતા પ્રાપ્ત થાય છે, જેથી તે સુખનો અનુભવ કરે છે. તેથી ઊલટું, વિષય, કષાય અને હિંસાદિના અશુભ ભાવો કે જે, જીવ માટે એકાંતે અહિતકારી છે, તે કરવાથી તેને પાપકર્મ પ્રકૃતિનો બંધ થાય છે અને તેના ઉદય વખતે આધિ, વ્યાધિ, ઉપાધિ અને જન્મ, જરા મરણાદિ સર્વ પ્રકારની જગતમાં ગણાતી પ્રતિકૂળતાઓ પ્રાપ્ત થાય છે, અને ઘણાં દુઃખોનો તે અનુભવ કરે છે. સાધક, અહીં આત્મલક્ષે થતાં સર્વે શુભભાવોમાં રહેવાનો ઉદ્યમ કરે છે, જેથી તેને પારમાર્થિક અનુકૂળતાઓ પ્રાપ્ત થાય. ૨૮. કરે તેવું ભરે -- સુખ દીધે સુખ હોત હૈ, દુઃખ દીધાં દુઃખ હોય; આપ હણે નહિ અવરકું (તો) અપને હણે ન કોય. ૨૮. ગ્રંથકાર અહીં કર્મનો અફર એવો એક સિદ્ધાંત પ્રતિપાદિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy