SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ પ્રકાશકીય અર્વાચીન જૈન સમાજની અગ્રગણ્ય વિભૂતિઓનાં વ્યક્તિત્વ અને કૃતિત્વની ઝાંખી કરાવતા આ ગ્રંથને ગુજરાતી જાણનારા સમસ્ત સંસ્કારી સમાજની સેવામાં રજૂ કરતાં અમે પ્રસન્નતા અનુભવીએ છીએ. સમાજને સાત્ત્વિક, પ્રેરણાદાયી છતાં વ્યવહારુ વાચનસામગ્રી સમર્પિત કરવાની અમારી સંસ્થાની નીતિ રહી છે. વર્તમાન ગ્રંથમાં અમે સમગ્ર જૈન સમાજના કેટલાક મહાનુભાવોને કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર સ્થાન આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં, પ્રાકથનમાં જે મર્યાદાઓ જણાવેલી છે તેનો સ્વીકાર પણ કરવો પડયો છે. તેથી જેટલી વિભૂતિઓ વિષેની અધિકૃત અને યોગ્ય માહિતી સમયસર મળી શકી નથી, તેમનો સમાવેશ આ પુસ્તકમાં કરી શકાયો નથી. તેમના મહાન જીવનનું આલેખન વળી ભવિષ્યમાં યથાસમયે થઈ શકશે, એવી આશા છે. આ ગ્રંથ લખવાનું કાર્ય અનેક દૃષ્ટિકોણથી જોતાં, ભગીરથ, શ્રમસાધ્ય અને સંવેદનશીલ હતું. છતાં સંસ્થાની સાહિત્ય પ્રકાશન સમિતિએ તે હાથ ધરવાનું નક્કી કર્યું. તેના ફળરૂપે સંસ્થાના પ્રેરક અને અનેક ગ્રંથોના લેખક-સમ્પાદક શ્રદ્ધેયશ્રી આત્માનન્દજીએ આ કાર્યનો પ્રારંભ કર્યો. તેમની નોંધપોથીઓ, વિવિધ સામાયિકોમાંથી તેમણે સંગ્રહિત કરેલા લેખો, વિશેષાંકો તથા પોતે કરેલા પ્રત્યક્ષ સમાગમની ફળશ્રુતિરૂપે આ ગ્રંથ આજે આપના હાથમાં આવી શકયો છે. આ ગ્રંથ જૈન-સમાજની એકતા સાધી વર્તમાન પેઢીને તેના જીવન-ઘડતર માટે સમયોચિત, ઉત્તમ અને લાભદાયી પ્રેરણા પૂરી પાડશે એવી અમને શ્રદ્ધા છે. આ ગ્રંથ તૈયાર કરવામાં શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના અનેક સાધકો અને અન્ય અભ્યાસâઓએ પણ મદદ કરી છે; જેમાં પ્રો. અનિલ સોનેજી, મુક્તાબહેન મહેતા, હંસાબહેન ભાવસાર, હીરાબહેન શાહ, બિન્દુબહેન પારેખ અને વિનતાબહેન દોશીનાં નામો ખાસ ઉલ્લેખનીય છે. શ્રી. વીરચંદ રાઘવજી ગાંધી ઉપરનો લેખ ડૉ. શ્રી, કુમારપાળ દેસાઈનો લખેલો છે તથા શ્રી. લઘુરાજસ્વામીના જીવન વિષેની સામગ્રી ઘાટકોપરવાળા આત્માર્થી શ્રી. નરેશભાઈ સંઘવી પાસેથી પ્રાપ્ત થઈ છે. અમો આ બન્ને લેખકોના વિશેષપણે આભારી છીએ. ભારતનાં વિવિધ પુસ્તકાલયો, શોધ-સંસ્થાનો અને અન્ય અનેક વ્યક્તિઓએ પણ આવશ્યક માહિતી મેળવી આપવામાં સહાય કરી છે, જે બદલ અમો તે સૌનો અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. Jain Education International ૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy