SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ચિત્તોડના પ્રસિદ્ધ કિલ્લાની બરોબર સામે શ્રી હરિભદ્રસૂરિ સ્મારક મંદિરની સ્થાપના કરી. તેને ચિત્તોડનું એક દર્શનીય સ્થાન ગણી શકાય. ત્યાં તેમણે પ્રસિદ્ધ જૈન દાનવીર ભામાશાની સ્મૃતિમાં ‘ભામાશા ભારતીય ભવન'નું નિર્માણ પણ કર્યું છે. ૧૮૨ મુનિશ્રીએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક સંસ્થાઓની સ્થાપના કરી. અનેક સંસ્થાઓ, વિદ્વાનો અને જ્ઞાનપિપાસુઓના તેઓ પ્રેરણાસ્ત્રોત બની રહ્યા. ૮૦ વર્ષની ઉંમર વટાવ્યા પછી તેમનું શરીર ઘણું કમજોર થઈ ગયું હતું. આંખોની દૃષ્ટિ પણ ઘણી મંદ પડી ગઈ હતી. તેમ છતાં જીવનના અંત સુધી ભારતીય પુરાતત્ત્વ, જૈનદર્શન, ચિત્તોડના પ્રાચીન ગૌરવ પ્રત્યેની તેમની આસ્થા અને અધ્યયનરુચિ સહેજ પણ ઓછાં થયાં નહોતાં. ઉપસંહાર : પૂજ્ય મુનિશ્રી જિનવિજયજીના જીવનનું વિહંગાવલોકન કરતાં એમ કહી શકાય કે પુરાતત્ત્વવિદ્યાને મુખ્ય કરીને તેઓએ પોતાનું સમસ્ત જીવન મા સરસ્વતીની સેવામાં વિતાવ્યું. એટલું જ નહિ પરંતુ બીજા સંશોધકો અને વિદ્વાનોને પણ તેમાં રસ લેતા કર્યા. પોતાની શક્તિ પ્રમાણે તેમ કરવા માટેનાં બાહ્યાંતર સાધનો પણ તેમણે ઊભાં કર્યાં. પૂજ્યશ્રીએ પોતાની પાછલી જિંદગીના દિવસો તેમની પ્રારંભિક કર્મભૂમિ અમદાવાદમાં વિતાવ્યા પછી તો વૃદ્ધાવસ્થાની સાથે સાથે શારીરિક નબળાઈ વધતી ગઈ અને વિ. સં. ૨૦૩૩ના જેઠ સુદ ૫ ને ગુરુવાર દિનાંક ૩ જૂન, ૧૯૭૬ના રોજ મુનિશ્રીએ તેમની જિંદગીના છેલ્લા શ્વાસ લીધા. આમ, એક આંજન્મ વિદ્યાઉપાસક તથા અદ્વિતીય પુરાતત્ત્વ-આચાર્યની જિંદગીનો અંત આવ્યો. ૐ શાંતિ: । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy