SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ પર પડી શકે ૧૭. ધર્મદિવાકર શ્રી ચોથમલજી મહારાજ જન્મ અને બાલ્યકાળ : ભારતની પુણ્યભૂમિ અનેક કર્મવીરો, શૂરવીરો, ધર્મવીરોના જન્મથી સદા પવિત્ર રહી છે. તેમાંય માલવભૂમિમાં તો અનેક સંતો તેમજ તપસ્વીઓ ઉપરાંત વિક્રમાદિત્ય જેવા પ્રતાપી, વિદ્યાવ્યાસંગી અને પ્રજાવત્સલ રાજાઓનો જન્મ થયો હતો. આ જ ભૂમિમાં, મધ્યપ્રદેશના નીમચ” નગરમાં સંવત ૧૯૩૪ના કારતક સુદ ૧૩ ને રવિવારે માતા કેસરબાઈની કૂખે એક શિશુનો જન્મ થયો. તેના પિતા ગંગારામજી એક આચારનિષ્ઠ અને ધર્મપ્રેમી, સદ્ગૃહસ્થ હતા. તેમના ઘરે અવારનવાર સાધુ-સાધ્વીઓ આવતાં. તેથી સર્વ કુટુંબીજનોને તેમના દર્શનનો લાભ સહેજે સહેજે મળી રહેતો. નામ-વિવેચન : બાળકના જન્મથી સારાય પરિવારમાં હર્ષ માતો નહોતો. વિદ્વાન બ્રાહ્મણો-જ્યોતિષીઓ દ્વારા આ બાળકનું નામ “ચોથમલ' રાખવામાં આવ્યું. ચોથનો અર્થ ચાર થાય છે. ચારના આંકડાની વિશેષતા નીચે પ્રમાણે જાણવી : (૧) મોક્ષમાર્ગમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર પછી ચોથું અંગ “તપ” ગણાય છે. કોટિ બે વર્ષમાં કરેલાં કર્મો તપ કરવાથી નષ્ટ થઈ જાય છે. (૨) પાંચ ૧૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy