SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ કવિરત્ન શ્રી નાનચંદ્રજી મહારાજ શિષ્ટ, સંસ્કારી અને આધ્યાત્મિક સાહિત્યનું સર્જન : સુંદર કાવ્યો રચવાની જન્મજાત શક્તિ અને પ્રાર્થનાના વિશિષ્ટ અભ્યાસને લીધે તેઓએ ધર્મ-આરાધનાને લગતાં લગભગ ૪૦૦ સુંદર ગેય પદોની વિવિધ છંદોમાં રચના કરી છે, જે ‘ પ્રાર્થના મંદિર' અને ‘સુબોધ સંગીતમાળા’(ભાગ ૧-૨-૩)માં પ્રસિદ્ધ થયાં છે. આ ઉપરાંત તેઓએ લખેલા-સંપાદિત કરેલા ‘સંસ્કૃત કાવ્યાનંદ (ભાગ ૧-૨-૩) તથા ‘માનવતાનું મીઠું જગત' નામના ગ્રંથો પણ પ્રકાશિત થયા છે. તેઓની સાહિત્ય પ્રસાદીનો રસાસ્વાદ થઈ શકે તે આશયથી કેટલીક રચનાઓ નીચે રજૂ કરી છે : પવિભાગ પ્રાર્થના (હરિગીત અથવા ભૈરવીની ઢબ) હે નાથ! ગ્રહી અમ હાથ રહીને સાથે માર્ગ બતાવજો, નવ ભૂલીએ કદી કષ્ટમાં પણ પાઠ એહ પઢાવજો; પ્રભુ, અસત્ આચરતાં ગણી નિજબાળ સત્ય સુણાવજો, અન્યાય, પાપ, અધર્મ ન ગમે સ્વરૂપ એ સમજાવજો. બગડે ન બુદ્ધિ કુટિલકાર્યે બોધ એહ બતાવજો, વિભુ ! જાણવાનું અજબ રીતે જરૂર જરૂર જણાવજો; સહુ દૂષિત વ્યવહારો થકી દીનબંધુ દૂર રખાવજો, છે યાચના અમ કર થકી સત્કાર્ય નિત્ય કરાવજો. ૧ ૨ પ્રભુ ! સત્ય-ન્યાય—દયા—વિનય-જળ હૃદયમાં વરસાવજો, બદનામ કામ હરામ થાય ન એહ ટ્રેક રખાવજો; હે દેવના પણ દેવ! અમ ઉર પ્રેમ પૂર વહાવજો, પાપાચરણની પાપવૃત્તિ હે દયાળ ! હઠાવજો. સુખ–સંપ-સજ્જનતા–વિનય–યશ ૨સ અધિક વિસ્તારજો, સેવા ધરમના શોખ અમ અણુ અણુ વિશે ઉભરાવજો; શુભ ‘સંત શિષ્ય ’' સધાય શ્રેયો એ વિવેક વધારજો, આનંદ મંગળ અર્પવાની અરજને અવધારજો. ૪ Jain Education International ૩ ગુરુ મહારાજને વિનંતિ ગુરુ મુક્ત થવાનો અપૂર્વ માર્ગ બતાવજો રે, બતાવી ગુપ્ત રહસ્યો, નહિ જાણેલ જણાવજો રે. ટેક ગંડુ બની બહુ કાળ ગુમાવ્યો, અથડામણનો પાર ન આવ્યો; લાયકાત ગુરુ નાલાયકમાં લાવજો રે. ગુરુ૦ ૧ For Private & Personal Use Only ૧૧૭ www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy