SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ બોધસાર ૧૫ સ્વચ્છ હવામાં ફરવા જવું અથવા નિર્દોષ પદભજન ગાવાં અથવા આસન-વ્યાયામની પ્રવૃત્તિ કરવી ઈત્યાદિ. [૭] નિદ્રા અને આરામની બાબત પણ ખાસ લક્ષમાં રાખવા જેવી છે અને સરેરાશ સાત કલાકની ઊંઘ સ્વાચ્ય અને સાધનાના સુમેળની રીતે વાજબી ગણાય. જેઓને બપોરના આરામની જરૂર જણાય તેઓએ પણ ૨૦ થી ૩૦ મિનિટમાં જ આરામ પૂરો કરી પોતાને યોગ્ય અને રુચિકર સાધનામાં લાગી જવું જોઈએ. ઉત્તમ સાધક અને ઘનિષ્ઠ સત્સંગ જેઓએ સાધનામાં સારી પ્રગતિ સાધી છે અને જેઓનું લક્ષ ખરેખરું ઊંચું છે તેઓ નાની નાની વસ્તુઓના ત્યાગનો અભ્યાસ અને નિયમ આ સમય દરમિયાન કરી શકે છે. જેમ કે રસાસ્વાદ-ત્યાગ (મીઠું, ખાંડ, મરચું કે તેલનો ત્યાગ), સૂવા માટે માત્ર ચટાઈ કે શેતરંજી વાપરવાનો નિયમ, અથવા એક આહારનો નિયમ (અઠવાડિયામાં એકબે દિવસ). જ્યારે બીજા સાધકો પણ વ્રત-નિયમ લેતા હોય ત્યારે ઉલ્લાસના વાતાવરણમાં એકબીજાને પ્રેરણા મળે છે અને જો વિવેકથી નિયમ લીધો હોય તો કાયમની કુટેવ જાય છે અને જીવન શિસ્તબદ્ધ બને છે. બ્રહ્મચર્ય વગેરે મોટા વ્રતના નિયમ માટે પોતાનો પૂર્વઅભ્યાસ, વર્તમાન દશા અને સમગ્ર રીતે વ્રતપાલનની શક્તિ જોયા પછી જ નિયમ લેવો યોગ્ય છે. જેઓએ સત્સંગ દરમિયાન પોતાની વિશિષ્ટ લાયકાતથી સંતને પ્રભાવિત કર્યા હોય અથવા બીજાં યોગ્ય કારણોસર જેના ઉપર સંતની કૃપા ઊતરી હોય તેઓ સંતના “અંતેવાસી' થઈ જાય છે અને તેવા વિશિષ્ટ મુમુક્ષુઓના અધ્યાત્મવિકાસનો ભાર કથંચિત્ સંત સ્વીકારી લે છે; કારણ કે એવો જ સહજ પરોપકારી તેમનો સ્વભાવ છે. તેના સાધકોને તેમની આગળની સાધનાના બધા જ તબક્કામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001287
Book TitleBodhsar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1994
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy