SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ બોધસાર ત્યારે અમુક ખાસ આચારસંહિતા પાળવાથી સત્સંગ ઘણો વિશેષ ફળદાયી નીવડશે. આ ચર્ચા દરેક સાધકને માટે એકસરખી નથી; પરંતુ મધ્યમ કક્ષાના સાધકને ધ્યાનમાં લઈને નિમ્નલિખિત આચારનું સૂચન છે : [૧] સત્સંગ ચાલુ થાય તે પહેલાં ત્રણ દિવસથી માંડીને સત્સંગ પૂર્ણ થાય ત્યાં સુધી બ્રહ્મચર્ય પાલન. [૨] સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી આહાર ન લેવો. પાણી પીવાની છૂટ રાખી શકાય. [૩] સાત્ત્વિક અને સાદો ખોરાક લેવો, અને રસાસ્વાદ પોષનારો તથા તામસિક પ્રકૃતિને ઉત્તેજન આપનારો અને પ્રમાદ વધારનારો ખોરાક-જેવો કે ડુંગળી, લસણ, બટાકા, ઘીની મીઠાઈ, ચટણી-અથાણાં વગેરે વસ્તુઓવાળો ખોરાક ન લેવો. [૪] રેડિયો, વર્તમાનપત્રો અને અન્ય વ્યાપાર-ફિલ્મ નાટકવિષયક મૅગેઝીન વાંચવાં જોઈએ નહિ તેમ જ સાંભળવા જોઈએ નહિ. [૫] લૌકિક વાર્તાલાપનો નિષેધ કરવો જોઈએ અને પોતાના વ્યાપાર -ધંધા-નોકરી વિષેની તેમ જ પુત્ર-પુત્રીઓના વિવાહ-લગ્ન-સંબંધ વિશેની વાતો ન કરવી જોઈએ. પુરુષોએ ખાસ કરીને રાજકીય ચર્ચાઓ અને સ્ત્રીઓએ ખાસ કરીને ખાવા-પીવા-રાંધવા અને પહેરવા વિષેની વાતો ન કરવી. આવી વાતો કરવાથી પોતાનું ચિત્ત ચંચળ અને મલિન થાય છે અને સત્સંગના સ્થાનનું વાતાવરણ દૂષિત થવાથી બીજા સાધકોની સાધનામાં પણ વિન ઊપજે છે. [] સામાન્ય આનંદ-પ્રમોદને માટે કોઈ નિર્દોષ સાધન શોધવું Jai જોઈએ. જેમ કે સાંજના સમયે સમૂહમાં એક-બે કિલોમીટર ખુલ્લી Jain Education International For Private & Personal Use Only www.jain&ibrary.org
SR No.001287
Book TitleBodhsar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1994
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy