SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ જીવત-વિજ્ઞાત પ્રેમભક્તિને સથવારે પ્રેમભક્તિનો ઉત્કૃષ્ટ ભાવ જોકે ખરેખર તો અનુભવગમ્ય છે; પણ તેની શબ્દવ્યાખ્યા કંઈક આ પ્રમાણે કરી શકાય : પ્રેમભક્તિ એટલે પ્રભુ પ્રત્યે સંપૂર્ણ, એકતરફી, બિનશરતી અને સમજણપૂર્વકની શરણાગતિ. પરમાત્મા-સદ્ગુરુ-સંત-શાસ્ત્રો પ્રત્યેની પ્રેમભક્તિ પ્રશસ્ત ભાવ છે, દિવ્ય પ્રેમ છે અને મુમુક્ષુએ તે પ્રેમ કેળવવો અનિવાર્ય છે. તે બધાનું યથાયોગ્ય અવલંબન લેવાથી ચિત્તશુદ્ધિ થાય છે અને સદ્ગુરુ દ્વારા આત્મલક્ષ કરવાની કળા ધીમે ધીમે હસ્તગત થાય છે. તેમાં પણ પરિપક્વતા આવતાં ચિત્ત શાંત, પવિત્ર અને એકાગ્ર બને છે અને પોતાના જ હૃદયમંદિરમાં ભગવાન આત્માનાં દર્શન થતાં સંશયોનો વિલય, નિજાનંદની અનુભૂતિ અને અજ્ઞાન-અંધકારનો નાશ થતાં જીવનમાં આમૂલ દિવ્ય પરિવર્તન આવે છે અને માનવભવની સાચી સાર્થકતાનો અનુભવ થાય છે. સાધનાની સિદ્ધિ માટેનો ઉપાસના-ક્રમ (ભક્તિમાર્ગની મુખ્યતાથી) : “ઉદાસીડહમ્ – દાસીડહમ્ – સોડહમ્ અહમ્” ૧. ઉદાસીડહમ્ અર્થાત્ જેણે દુનિયાની વસ્તુઓ અને પરિસ્થિતિઓ પ્રત્યે સાચી ઉદાસીનતા (અનાસક્તિ) પ્રગટ કરી છે. ૨. દાસીડહમ્ અર્થાત્ હું સર્વ જીવોનો અને તેમાં પણ મુમુક્ષુઓનો અને જ્ઞાનીઓનો દાસ છું એવો અંતરનો J- ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy