SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર ૩. ધર્મના લગભગ બધા જ વિષયો પર તેમણે રચનાઓ કરી છે. તેઓ ઉચ્ચ કોટિના સંત, કવિ, સાહિત્યકાર અને માનવએકતાના હિમાયતી હતા. મહાન ભક્ત કવયિત્રી મીરાંબાઈ મારવાડના મેડતા ગામમાં વિ.સં. ૧૫૬૦માં જન્મેલી અને પ્રભુપ્રેમમાં જ નાની વયથી લાગી ગયેલી મીરાંબાઈ એક મહાન ભક્ત અને કવયિત્રી થઈ ગયા છે. તેમણે મેવાડનું મહારાણીપદ છોડીને સત્સંગમાં જ મસ્ત રહી પોતાના પ્રિયતમના દર્શન પોતાના હૃદયમાં જ કર્યા છે. તેમના જીવનમાં અનેક ચમત્કારિક ઘટનાઓ બનેલી છે. તેમના લખેલાં પદો આજે પણ ભક્તજનોના હૃદયના તારને ઝણઝણાવી દે છે અને ગામોગામ ગવાતા તે પદો તેમના મહાન વ્યક્તિત્વની આપણને ઝાંખી કરાવે છે. ગુજરાતી ભાષાના આદિકવિ ભક્તપ્રવર શ્રી નરસિંહ મહેતા (વિ.સં. ૧૪૬૬ થી ૧૫૩૬) ૧. ભાવનગર પાસે તળાજામાં જન્મ્યા, પરંતુ તેમની કર્મભૂમિ તો જુનાગઢ રહી. જન્મજાત વૈરાગ્યવાન હતા. સતત પ્રભુસ્મરણ, ભજન-કીર્તન અને ભક્તિભાવના ફળરૂપે પરત્માદર્શન પામીને પોતે હરિરસ માણે છે અને પોતાના ભજનાદિ દ્વારા સૌને હરિરસની લ્હાણી કરે છે. ૩. પ્રભુકૃપાથી તેમના જીવનના બધા પ્રસંગો પાર પડે છે. તેમની કૃતિઓમાં ઉત્કટ પ્રભુભક્તિ, અંતર્નાન અને સાચા વૈરાગ્યના જ ગુજરાતી s-૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy