SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર વિશ્વાસુઓ, નમ્રીભૂત થયેલાઓ, વ્યસનગ્રસ્તો તથા રોગી મનુષ્યો ઉપર પ્રહાર કરતા નથી. યહ તન વિષ કી વેલડી, ગુરુ અમૃત કી ખાન; શીશ દિયે જો ગુરુ મીલે, તો ભી સસ્તા જાન. (મહાત્મા શ્રી કબીરદાસજી) અનેક સંશયોને છેદવાવાળું, પરોક્ષ પદાર્થોનું જ્ઞાન કરાવનારું તથા સર્વ મનુષ્યોને ઉપલબ્ધ એવું શાસ્ત્રરૂપી લોચન જેને નથી, તે અંધ જ છે. (હિતોપદેશ) દયાળુતા, દાક્ષિણ્ય, વિનય ને પરોપકારીપણું જ્યાં છે; હિત-મિત પ્રિય ભાષણ આ સર્વે, લક્ષણ શ્રી સદ્ગુરુનાં છે. તરુવર, સરવર, સંતજન, ચોથા વરસે મેહ; પરમારથ કે કારણે, ચારો ધરિયા દેહ. લોકોત્તર મહાપુરુષોના ચિત્ત કે જે વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ છે, તેમને જાણવાને કોણ સમર્થ છે? (મહાકવિ ભવભૂતિ) આત્મજ્ઞાનપ્રાપ્તિનું ફળ એ છે કે પરની નિંદા ન થાય, પોતાની સ્તુતિ ન થાય અને સર્વ કર્તવ્યો સમભાવપૂર્વક કરાય. (આત્માવબોધ) આ વિશ્વમાં જ્ઞાન જેવી પવિત્ર બીજી કોઈ વસ્તુ નથી. (શ્રીમદ્ ભગવદ્ગીતા) જુદા જુદા પ્રકારનાં કુવિચારો આપણી શાંતિ, સુખ અને સફળતાના ઘોર શત્રુ છે. (સ્વેટ માર્ડન) Jain Education International ૩૭.૩૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy