SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર ૯. દેહાદિમાં તીવ્ર મમતાવાળો હોય. ૧૦. જ્ઞાન-ધ્યાનના અભ્યાસથી રહિત હોય. ગુરુ ભલે આપણા કુળના હોય, પણ જો તેમનામાં સગુણો ન હોય, જો તેઓ ચારિત્રવાન ન હોય, તો તેવા ગુરુનો આગ્રહ રાખવો એ તત્ત્વદૃષ્ટિ નથી, પણ ઓઘદૃષ્ટિ છે. આવી ખોટી દૃષ્ટિ પરમાર્થપ્રાપ્તિમાં નિયમથી બાધક છે. માટે સપાત્રતા અને સાહસ સહિત સદ્ગુરુની ઓળખાણ કરવી અને તેમનો સર્બોધ અને સાન્નિધ્ય પ્રાપ્ત કરવાં. * નૈતિક મૂલ્યોનું જતન ૧. સજ્જનોએ અને મુમુક્ષુઓએ પોતાના જીવનમાં અમુક ચોક્કસ ધોરણ મુજબ પોતાના જીવનવ્યવહારમાં વર્તવું જોઈએ. જ્યાં સ્વચ્છેદ અને અનીતિમય વ્યવહાર હોય ત્યાં વ્યક્તિત્વ મલિન હોય છે અને ધર્મની રુચિ થતી નથી, તેમ જ વળી ક્વચિત્ બોધ મળે તો પણ તે પરિણામ પામતો નથી. ધર્મ, શિક્ષણ અને ન્યાય – આ ત્રણ ક્ષેત્રોમાં ધનનું વર્ચસ્વ ગૌણ હોવું જોઈએ. કોઈ પણ સમાજની ઉન્નતિ આ ત્રણ ક્ષેત્રોના પારદર્શક અને ઔચિત્યપૂર્ણ વ્યવહાર પર આધારિત છે. જ્યાં સંત, શિક્ષક અને ન્યાયાધીશને પૈસાથી ખરીદી શકાય છે ત્યાંનો સમાજ જીવનનાં ઉચ્ચ મૂલ્યો પ્રત્યે પ્રયત્નવાન બની શકે નહીં અને તેની પ્રગતિ પણ વિવિધ ક્ષેત્રોમાં રુંધાઈ જાય; જેથી તે સમૃદ્ધ, સુખી, શાંતિમય, બળવાન કે પ્રભાવશાળી બની શકે નહીં. s-૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy