SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ આત્માને આગળ રાખીને સર્વ સાધન કરીએ તો અલ્પ કાળમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય. જડ પદાર્થોનો વારંવાર અને બુદ્ધિપૂર્વક (intentionally, જાણીબૂજીને) પરિચય કરવાથી આપણી બુદ્ધિ પણ જડ જેવી, એટલે કે સંવેદનશીલતા વગરની – નિષ્ફર થઈ જાય છે; માટે તેમનો પરિચય ખપ પૂરતો જ કરવો. આહાર, નિદ્રા, આસન અને મન – આ બધાનો પરસ્પર નિકટવર્તી સંબંધ કહ્યો છે; માટે આ બધાંને જીતવાનો અભ્યાસ સાધકે પોતાના જીવનમાં રૂડી રીતે કરવો જોઈએ. આપણા જીવનનો વિકાસ કરવો એ આપણું ધ્યેય છે. આત્માની દૃષ્ટિ કેળવ્યા વગરનો વિકાસ એ ઉપલક છે. જીવનના સર્વાગી વિકાસ માટે ચાર વસ્તુઓને લક્ષમાં રાખવી કે : (૧) મારે જીવનને સફળ કરવું છે; (૨) મારે જીવનને ઊર્ધ્વગામી બનાવવું છે; (૩) મારે જીવનને tension-free રાખવું છે; અને (૪) મારે જીવનને fearless રાખવું છે. શરીર, મન અને વચનની પવિત્રતામાં મનની પવિત્રતા એ મુખ્ય છે, જેના ત્રણ વિભાગ કરી શકાય ? ૧. અભિપ્રાયની નિર્મળતા - Purity of intention ૨. વિચારધારાની નિર્મળતા - Purity of thoughts અને ૩. સંકલ્પની નિર્મળતા - Firm and benevolent will power (દઢ અને નિર્મળ પ્રતિજ્ઞા). A-૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy