SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ન સંસ્કાર - - થોભો અને અનુભવો ૧. ગમે તેટલી ભીડભાડ હોય તો પણ થોડી ક્ષણ વિશ્રાંતિ લેજે. તેથી જીવનમાં પુનઃ શક્તિનો સંચાર થશે. ૨. તું ગમે તેટલો અલમસ્ત કે અમલમસ્ત હોય તો પણ નમ્ર જ બની રહેજે, કારણ કે તો જ તું સૌની સાથે મિત્રતાનો અનુભવ કરી શકીશ. ૩. આજીવન વિદ્યાર્થી બની રહેજે, જ્ઞાનાર્જન માટે તે આવશ્યક છે. ૪. સંપત્તિ હોય તે પ્રમાણે દાન આપવાનું ચાલુ જ રાખજે. સંતોષનો અનુભવ કરવાનું તે શ્રેષ્ઠ સાધન છે. ૫. સહજ સ્મિત તે અંતરની પ્રસન્નતાનું અને પરમાર્થ પ્રેમનું પ્રતિક છે; તેના દ્વારા તન-મન-ધન-સુયશનો સ્વાભાવિક લાભ થાય છે. પરિશ્રમ અને વિશ્રામનું સંતુલન તે જીવનની સફળતાનો આધાર છે. ૭. પ્રેમ, પ્રભુપ્રાર્થના, પરાક્રમ, પ્રારબ્ધસ્વીકૃતિ – આ બધાના સુમેળથી સફળતા સાંપડે છે. થોડી થોડી કરેલી દરરોજની બચત અણીના સમયે જીવનમાં ઉપયોગી થાય છે. જીવનમાં જેમ હકીકતો અને અનુભવોનું મૂલ્ય છે તેમ કોઈ વખત કલ્પનાશીલતા પણ હળવાશ અનુભવવા માટે ઉપયોગી છે. કવિના જીવનનું તો તે મુખ્ય અંગ છે; માટે જ કહ્યું, s- ૨ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy