SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ જીવત-વિજ્ઞાન સગવડ ના હોય તો અર્ધો કલાક વહેલો નીકળીને ચાલતો જાઉં. વારંવાર જીવનધ્યેયને નજર સમક્ષ લાવું છું; જેથી જીવનની ચર્યા તે ધ્યેયને અનુરૂપ બની રહે. * વૈવિધ્યપૂર્ણ સ્વતંત્ર મુદ્દાઓ જગતના મનુષ્યોને દુઃખ અને દુર્ગતિમાં પડતા બચાવીને, સુખશાંતિ અને સુગતિમાં લઈ જાય તેનું નામ ધર્મ છે. માતાની જેમ તે હંમેશાં આપણું રક્ષણ કરે છે. બાકી બીજા બધા માત્ર બાહ્ય લક્ષણોથી ઓળખાતા – હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, જૈન, પારસી, શીખ આદિ – તો સંપ્રદાય છે. સામાજિક સંગઠન, સુવ્યવસ્થા અને નૈતિક મૂલ્યોની જાળવણી માટે તે બધા ઉપયોગી બની શકે; પણ ત્યારે જ કે જ્યારે તેમનો સ્વીકાર ઉદારતાથી અને અનાગ્રહપણે કરવામાં આવે ત્યારે. જો તેમનું ગ્રહણ દુરાગ્રહપણે અને ઝનૂન સહિત સંકીર્ણતાથી થાય તો, તેઓ સાચી આધ્યાત્મિક ઉન્નતિ કરવામાં ઉપયોગી થઈ શકતા નથી; બબ્બે વ્યક્તિગત અને સામૂહિક સ્તરે વેર-ઝેર અને અરાજકતાનું કારણ બને છે. ચાતુર્માસ દરમ્યાન, સાધુ-સંતો સ્થિરવાસ કરે છે. તેઓ એક જ સ્થળે રહે તો તેમના સત્સંગનો સતત લાભ સ્થાનિક લોકોને મળી શકે છે. આ કારણથી ચાતુર્માસ દરમ્યાન તેમજ અન્ય સમયે પર્વોનું આયોજન કરીને સત્સંગ, વાંચન, ભક્તિ-પૂજા, નિયમ-વ્રતોનું ગ્રહણ કરીને ભાવપૂર્વકની ઉપાસના દ્વારા માનવભવની સાચી સફળતાનો વિશેષ પુરુષાર્થ કરવો જોઈએ. - ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy