SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ભૂમિકા : માનવ પોતાના અસ્તિત્વકાળથી જ શાશ્વતપદની શાશ્વત સુખની - શોધમાં રહેલો છે, કારણકે શાશ્વતપણું તેનો મૂળ સ્વભાવ છે. આ પદની પ્રાપ્તિ માટે તેણે વિવિધ ઉપાયો યોજ્યા છે, વર્તમાનમાં પણ યોજી રહ્યો છે અને ભાવિ કાળમાં પણ યોજશે. મનુષ્યોની પ્રકૃતિની વિવિધતા જાણીને પૂર્વાચાર્યોએ ભિન્ન ભિન્ન રુચિવાળા મનુષ્યોને જોઈતપાસીને તેમને ભિન્ન ભિન્ન સાધનાપદ્ધતિઓ બતાવી છે, પરંતુ તે સર્વ પદ્ધતિઓમાં એક શાશ્વતપદની સિદ્ધિ માટેનું જ લક્ષ રાખેલું છે. આ શાશ્વતપદની પ્રાપ્તિ અનેકવિધ કારણોના આવી મળવાથી થાય છે; જેમાં નિરંતર આત્મજાગૃતિ, સદ્ગુરુનો બોધ, સન્માર્ગનું ગ્રહણ તથા અનુસરણ અને સતત અભ્યાસ મુખ્યપણે આવશ્યક છે. ઉપરોક્ત સાધનો દ્વારા પોતાના દોષોને દૂર કરવારૂપ અને સદ્ગુણોને ગ્રહણ કરવારૂપ સત્પુરુષાર્થ વડે જેમ જેમ પવિત્રતાની પ્રાપ્તિ થાય છે તેમ તેમ આત્મશુદ્ધિ વધતી જાય છે અને આ આત્મશુદ્ધિના માર્ગને જ શાસ્ત્રોમાં મોક્ષમાર્ગ કે નિર્વાણમાર્ગ કહ્યો છે. આ પ્રમાણે, મોક્ષમાર્ગને એટલે કે આત્માની પવિત્રતાને પામવાનાં અનેકવિધ સાધનોમાં ભક્તિ એ એક અત્યંત મહત્ત્વનું સાધન છે. ભક્ત અને ભગવાનનું સ્વરૂપ, ભક્તિના વિવિધ પ્રકારો, તે પ્રકારોને સાધવાની વિધિ, ભક્તિનું ફળ વગેરે ભક્તિમાર્ગ વિષયક વિવિધ પાસાઓનું આલેખન આ ગ્રંથમાં કરેલું હોવાથી તેને ‘ભક્તિમાર્ગની આરાધના' એવું નામ આપ્યું છે. જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ - વર્તમાન સંદર્ભ : કોમ્પ્યુટરયુગના આ જમાનામાં મોક્ષમાર્ગને તત્ત્વતઃ પામેલા આત્માનુભવી મહાત્માઓની અત્યંત દુર્લભતા છે. ક્વચિત્ કોઈ સત્પુરુષનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy