SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિના વિવિધ પ્રકારો બની શક્તી નથી, પ્રથમ આલંબનની જરૂર પડે જ છે. (ક) ભક્તિમાર્ગના દાર્શનિક ગ્રંથોમાં પ્રતિપાદિત થયેલી શૈલીને અનુસરતાં, ભક્તિની આરાધનાં વિવિધ અંગ-ઉપાંગો અને શ્રેણિઓની રૂપરેખા નીચે પ્રમાણે જ્હાય છે : (૧) ફ દ્વા (૩) ભજન (૨) (૪) Jain Education International સત્સંગ અનર્થનિવૃત્તિ (પાપમય પ્રવૃત્તિઓથી પાછા ફરવું) (૬) રુચિવિશેષ (૮) પ્રેમોત્પત્તિ (૧૦) પરાભક્તિ, અનન્યભક્તિ. (૫) નિષ્ઠા (૭) દૃઢ-અનુરાગ (૯) ભાવાનુભૂતિ (ડ) ભક્તજને પોતાના આરાધ્યદેવ સાથે સ્થાપિત કરેલા સંબંધવિશેષને લક્ષમાં રાખીને ભક્તિના મુખ્ય પાંચ પ્રકારોનો નિર્દેશ કરવામાં આવ્યો છે : (૧) શાંતભક્તિ (૩) સખ્યભક્તિ (૫) માધુર્યભક્તિ ૧૪ (૨) દાસ્યભક્તિ (૪) વાત્સલ્યભક્તિ ભક્તિની ઉત્પતિનો ક્રમ અને તેનું મનોવિજ્ઞાન ઃ જગતને વિશે અનેક મનુષ્યો ભગવાનની ભક્તિ કરતાં દેખવામાં આવે છે. પરંતુ તે ભક્તિના ફળસ્વરૂપે જે ચિત્તશુદ્ધિ, સમતા અને પ્રસન્નતા તેમના જીવનમાં પ્રગટ થવાં જોઈએ તે દેખાતાં નથી. આ ઉપરથી સમજી શકાય છે કે જે ભક્તિ થઈ રહી છે તે ભક્તિ યથાર્થ નથી, પણ ભૂલવાળી છે અને તેથી પરમાર્થદષ્ટિએ વિચારતાં નિષ્ફળ છે. જીવનમાં સાચી ભક્તિ પ્રગટ થાય તે માટે પ્રથમ તો આગળ કહ્યા તેવા શ્રીદેવ-ગુરુ-ધર્મની યથાર્થ ઓળખાણ કરવી. આ ઓળખાણ કરવા માટે સાચા ભક્તના ગુણો જીવનમાં કેળવવા * ભાંક્તરસામૃતબિન્દુ ૧-૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy