SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મચર્ય ૨૭ સ્ત્રીએ છળપૂર્વક ઉત્તર આપ્યો : “જો આપ મારું દુઃખ દૂર કરવાનું વચન આપો તો કહું.” સરળહૃદયી મહારાજાએ કહ્યું: ‘મારાથી સંભવ હશે તે બધી મદદ અવશ્ય કરીશ.” સ્ત્રીએ વિચિત્ર હાવભાવપૂર્વક કહ્યું : હું સંતાનહીન છું. મારે તમારા જેવો પુત્ર જોઈએ.” બે ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયેલા મહારાજે પોતાની જાતને તરત જ સંભાળી લીધી અને ઉત્તર આપ્યો : “આપને મારા જેવો પત્ર જોઈએ તો હે માતા ! આ છત્રસાલ તમારો જ પુત્ર છે,’ એમ કહી મહારાજ તેના ચરણોમાં ઝૂકી ગયા અને સ્ત્રીને રાજમાતા તરીકે સ્વીકારી. જુઓ ભરયુવાન રાજપુત્રના સદાચારની પરાકાષ્ઠા ! જુઓ તેમનું ધૈર્ય અને આત્મસંયમ !! આ મહારાજનો રાજ્યકાળ તે બુંદેલખંડના ઈતિહાસનો સુવર્ણયુગ ગણાય છે, જેમાં પ્રજાને પૂર્ણ સંરક્ષણ અને સર્વતોમુખી જાહોજલાલીનો અનુભવ થયો. (૩) સાંપ્રત જૈન સમાજના અનેક મહાન વિદ્વાનોમાં એક છે પંડિતવર્ય શ્રી સુમેરુચંદ્ર દિવાકર. તેઓ એક વખત પર્યુષણ નિમિત્તે યુવાનોની મંડળીમાં વ્યાખ્યાન કરતા હતા. તેમણે ધર્મ શિક્ષા આપ્યા પછી કહ્યું : 'મિત્રો ! વ્યાયામ કરો અને સંયમથી રહો. આમ કરવાથી તમો ઉત્તમ પ્રકારે તંદુરસ્તી જાળવી શકશો અને તમારે ડૉક્ટરની વિટામિનની ગોળીઓની જરૂર પડશે નહીં.' પંડિતજી કેટલો સંયમ પાળે છે તે જાણવું રહ્યું.” આમ યુવકોની અંદરોઅંદરની ગુફતેગો સાંભળી પાસે બેઠેલા પંડિત ઈન્દ્રલાલ શાસ્ત્રીએ કહ્યું : “ભાઈઓ, આપણા આજના પ્રવચનકાર પંડિતવર્ય બાળબ્રહ્મચારી છે.” આ સાંભળી યુવાનોમાં સન્નાટો છવાઈ ગયો. [૪] મહર્ષિ દયાનંદ સરસ્વતી કલકત્તામાં શ્રી અશ્વિનીકુમાર દત્તને ઘેર ઊતર્યા હતા. અશ્વિનીકુમાર : મહારાજ ! શું કામ' તમને કોઈ દિવસ હેરાન નથી કરતો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy