SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મચર્ય ૨૫ બ્રહ્મચર્યનો મહિમા (૧) નીરખીને નવયૌવના લેશ ન વિષય નિદાન; ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન. * એક વિષયને જીતતાં જીત્યો સહુ સંસાર; નૃપતિ જીતતાં જતિયે દળ-પુર ને અધિકાર. પાત્ર વિના વસ્તુ ન રહે પાત્ર આત્મિકજ્ઞાન પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. (૨) તે(પરમાત્મ તત્ત્વ)ને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે. (૩) સર્વ ચારિત્ર વશીભૂત કરવા માટે સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડવૃત્તિ રહેવાને માટે, મોક્ષસંબંધી સર્વ પ્રકારની સાધનાના જય માટે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે. (૪) જે સર્વ વ્રતોમાં દુર્ઘટ હોવાથી મુખ્યપણાને પામેલું છે, જેના ભંગનું કોઈ પ્રાયશ્ચિત સાધુને માટે કહ્યું નથી અને જે તૂટવાથી ઉચ્ચ સાધકનું સર્વતોમુખી પતન થાય છે તે બ્રહ્મચર્યવ્રતનું સાધકો અત્યંત સાવધાનીથી તન કરે છે. (૫) બ્રહ્મચર્યને સર્વોત્તમ તપ કહ્યું છે. (૬) નિરતિચાર સત્યાર્થી સંપૂર્ણ બ્રહ્મચારી પુરુષ જગત વડે જ નહીં, પરંતુ જગતના સર્વ પૂજ્ય પુરુષો વડે પણ પૂજનીય છે. (૭) જેઓ અલ્પશક્તિવાળા છે. જેઓ શીલરહિત છે. જેઓ દીનલાચાર છે અને જેઓ ઇન્દ્રિયોના ગુલામ છે તેઓ સ્વપ્નમાં પણ બ્રહ્મચર્ય પાળી શકતા નથી. મહાન પરાક્રમી પુરુષો જ આ દુર્ધર વ્રતને ધારણ કરવાને શક્તિમાન બને છે. (૮) અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી, જેના ત્યાગનો એકાન્ત અભિપ્રાય આપ્યો છે એવો જે “કામ” તેનાથી જે મૂંઝાયા નથી તે પરમાત્મા છે. (૯) બ્રહ્મચર્યથી વીર્યનો લાભ થાય છે, દીઘાયુની પ્રાપ્તિ થાય છે, ચિત્ત પ્રસન્ન રહે છે, શરીરમાં ફૂર્તિનો અનુભવ થાય છે, બુદ્ધિશક્તિ વધે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy