SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ [ દયા દયાનું સામાન્ય સ્વરૂપ કોઈ પણ જીવને દુઃખ ન દેવું તેને સામાન્ય રીતે દયા કહેવામાં આવે છે. ઉત્તમ અને પૂર્ણ દયાના પાલક તો તેઓ છે કે જેઓએ જગતનાં રાઈ પ્રપંચકાર્યોનો ત્યાગ કરી સંપૂર્ણ સાધક દશા(Full-time Sadhana)ને અંગીકાર કરી છે, છતાં પણ આપણે આપણી શક્તિ પ્રમાણે અવશ્ય દયા પાળી શકીએ છીએ. દયાપાલનનો સામાન્ય ક્રમ આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ – ઘરનું, ધંધાનું કે સમાજનું – તે વખતે જો યત્નપૂર્વક વર્તીએ તો ઘણા નિરપરાધી જીવોનો ઘાત થતો અટકી શકે. ખાતાં, પીતાં, નહાતાં, રસોઈ કરતાં, ચોપડીઓ કે અન્ય વસ્તુઓ લેતાં-મૂકતાં, જો આપણે જાગૃતિ રાખીએ તો કીડા-મકોડા, માખી, કંસારી, વિંદા વગેરે અનેક નાનાં જંતુઓની હિંસા અટકાવી શકાય. જો આપણે ખરેખર આવાં નાનાં જંતુઓ પ્રત્યે કોમળ ભાવ રાખવા તૈયાર થયા હોઈએ તો મોટા પ્રાણીઓ જેવાં કે કૂતરાં, ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ગધેડાં, ઘોડાં કે સૌથી ઉત્તમ એવા માનવજીવ પ્રત્યે કેવી રીતે નિર્દયતા રાખી શકીએ ? અહીં વિશેષ એમ છે કે મોટા જીવો પ્રત્યે દયાવાળા થવા માટે આપણે નીચે પ્રમાણે વર્તવું યોગ્ય છે ? આપણે કોઈ પણ પશુઓને પાળ્યાં હોય અથવા અમુક હેતુ માટે રાખ્યાં હોય તો તેમને સમયસર આહારપાણી તથા વરસાદ, ગરમી, ઠંડીથી યથાયોગ્ય રક્ષણ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. પ્રાણીઓ, નોકરો વગેરે પાસેથી વધારે પડતું કામ લઈ તેમની પાસે વેઠ ન કરાવવી કે શોષણ ન કરવું. - વેપારી તરીકે કાળાંબજાર કરીને બેહદ નફો લઈને અન્યાયપૂર્વક બીજાનું ધન આંચકી લઈ તેમને દુઃખ ન દેવું. કોઈ ગરીબ ગ્રાહક આવ્યો હોય અને જરૂરી અનાજ, કાપડ વગેરે આવશ્યક વસ્તુ માટે ૨૫-૫૦ પૈસા ખૂટતા હોય તો હડધૂત કરીને તેને કાઢી , , ટેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy