SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ સાધક-સાથી માટે ધર્મસાધના ભેદભેદરૂપ જાણો. જ્યારે વિકલ્પવાળી અવસ્થા હોય ત્યારે સગુણોનું આલંબન લઈ અખંડ-અભેદ – એકાકાર ચૈતન્યનો લક્ષ કરવો. આમ કરવાથી ભેદોનો નાશ થઈ અભેદ દશા પ્રગટશે, પરંતુ અભેદ દશા તો થોડી સેકંડો જ ટકે છે તેથી તેમાંથી છૂટી જતાં યથાપદવી ભેદરૂપ સદ્ગુણોનાં સંરક્ષણ અને આલંબન દ્વારા પોતાની દશા ટકાવી ઉપર કહ્યો તેમ પુરુષાર્થ કરવો. આમ, સનાતન ધર્મની પ્રાપ્તિ તેવા પુરુષો જ કરી શકે છે, જેઓ ભેદરૂપ આરાધના તથા અભેદરૂપ આરાધનાની અવિરોધરૂપે સાધના કરી યથાયોગ્ય પદવીએ યથાયોગ્ય સાધનોને અંગીકાર કરે છે. આ. પ્રમાણે બન્ને સાધનાપદ્ધતિઓની તીવ્ર મૈત્રીનો આદર થકી આત્મશુદ્ધિ અને આત્મબળને વધારતા વધારતા તે મહાપુરુષો પરમસમાધિને પામી જાય છે. માટે જ મહાત્માએ કહ્યું છે : (અ) જે જ્ઞાનનયને જ ગ્રહીને ક્રિયાનને છોડે છે તે પ્રમાદી અને સ્વચ્છંદી પુરુષને આ (અકંપ જ્ઞાનભાવમય) ભૂમિકાની પ્રાપ્તિ થતી નથી. જે ક્રિયાનને જ ગ્રહીને જ્ઞાનનયને જાણતો નથી તે (વ્રતાદિ કરવારૂ૫) શુભ કર્મથી સંતુષ્ટ પુરુષને પણ આ પરમૌષ્કર્મ ભૂમિકાની પ્રાપ્તિ થતી નથી. જે પુરુષ અનેકાન્તમય આત્માને જાણે છે (અનુભવે છે) તથા સુનિશ્ચિળ સંયમમાં વર્તે છે (રાગાદિક અશુદ્ધ ભાવો છોડે છે) તે જ પુરુષ જ્ઞાનનય અને ક્રિયાયની પરસ્પર તીવ્ર મૈત્રીને સાધીને આ (અકંપ નિજભાવમય) ભૂમિકાનો આશ્રય કરનાર બને છે. (બ) જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. (ક) નિશ્ચયવાણી સાંભળી સાધન તજવાં નો'ય, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવાં સોય. પ્રશ્ન : ૬ સનાતન ધર્મ કોણ કરી શકે ? ઉત્તર : ૬ કોઈ પણ મનુષ્ય આવા ઉત્તમ ધર્મને પામી શકે છે. તેમાં અમુક જાતિ, દેશ, વેશ કે બાહ્ય આડંબરની આવશ્યકતા નથી. જેને સત્યમાં રૂચિ અને નિષ્ઠા હોય તેવો કોઈ પણ આત્મા પાત્રતા પ્રગટ કરીને આવા ઉત્તમ ધર્મને પામી શકે છે. પ્રશ્ન : ૭ ગૃહસ્થ-અવસ્થામાં રહીને ધર્મ પામી શકાય ? ઉત્તર ઃ ૭ હા, સાચા ધર્મની પ્રાપ્તિ ગૃહસ્થ આશ્રમમાં રહીને પણ થઈ શકે છે. જેમ જેમ ચિત્તની શુદ્ધિ થતી જાય તેમ તેમ ત્યાગ-વૈરાગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy