SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાદ ભોગીની પ્રિયતમા અને રોગીની માતા કહી છે તેથી ધ્યેયનિષ્ઠ સુજ્ઞ પુરુષે તેનો સંગ છોડવો જોઈએ. (૩) ‘રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષે કદી સૂઈ ન રહેવું.’ ૨૫૫ તથા જા જા નિદ્રા હું તને વારું તું છો નાર ધુતારી રે,’’ આવા કડક શબ્દોમાં નિદ્રાને ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાએ પડકારી છે અને તેના નિયમન અર્થે મહાન પ્રેરણા કરી છે. (૪) નિદ્રા, અર્ધજાગ્રત અવસ્થામાં પડી રહેવું, ભય, ક્રોધ, આળસ અને ઢીલાશને વશ થઈ કાર્ય મુલતવી રાખવું આ અવગુણોનો ત્યાગ ઉન્નતિશીલ પુરુષોનું નિરંતર કર્તવ્ય છે. (૫) પ્રમાદનો જય કર્યો તેણે પરમપદનો જય કર્યો. (૬) ઊઠો ! જાગ્રત થાઓ ! અને જ્યાં સુધી ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નિરંતર ઉદ્યમ કર્યા કરો. (૭) ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે, મનોરથોથી નહિ; સૂતેલા સિંહના મુખમાં મૃગો પ્રવેશતાં નથી. પ્રમાદજયનાં જીવંત દૃષ્ટાંતો [a] પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્ર સંવત ૧૯૫૨માં નડિયાદ ઉત્તરસંડામાં પ્રદેશમાં એકાંતચર્યા માટે રહેતા હતા. તે વખતે નડિયાદના મોતીલાલ ભાવસાર તેમની સેવામાં રહેતા. મોતીલાલે પોતાની પત્નીને કહેલું કે લગભગ ૧૧-૦૦ વાગ્યે સવારે તારે ભોજન લઈને આવવું અને બે-ત્રણ ખેતર દૂર અમુક જગ્યાએ બેસવું, જ્યાંથી હું ભોજન લઈ જઈશ. એક વાર તેમનાં પત્ની ભૂલથી નિવાસસ્થાન પાસે આવી ગયાં જેથી મોતીલાલભાઈએ તેમને બહુ ઠપકો દીધો. જ્યારે શ્રીમદે આ વાત જાણી ત્યારે તેઓએ મોતીલાલને કહ્યું, “તમે શા માટે ખીજ્યા ? શા માટે ધણીપણું કર્યું ? તે બાઈ તો પવિત્ર આત્મા છે અને આઠમા ભવે મોક્ષે જવાનાં છે. અહીં એકાંતમાં આવો સત્સંગનો યોગ મળ્યો છે તે મહાન સદ્ભાગ્ય છે. આવો સુયોગ પ્રાપ્ત થવો ૫૨મ દુર્લભ છે. માટે હવે જાગ્રત થાઓ, જાગ્રત થાઓ. ઊંઘ, આળસ, ક્રોધ, કષાય, મારુંતારું, બધું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy