SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ સાધક-સાથી વાર છેતરપિંડી કરી, કેટલી વાર ઈષ્ય, નિંદા અને ખોટા આળ ચડાવ્યાં વગેરેની નોંધ થવાથી ધીમે ધીમે ક્ષમા, વિનય, સરળતા, મૈત્રી અને સમતાના ઉત્તમ ગુણો જીવનમાં ખીલવા લાગશે. આમ એક આધ્યાત્મિક ડાયરી લખવાની ટેવ પાડવાથી અધ્યાત્મસાધનામાં કૂદકે ને ભૂસકે આગળ વધી શકાશે ! આધ્યાત્મિક ડાયરીનો સંક્ષિપ્ત નમૂનો (૧) કેટલા વાગ્યે ઊઠ્યા ? (૨) કેટલી માળાઓનો મંત્રજાપ કર્યો ? (૩) વ્યક્તિગત કે સામૂહિક ભક્તિમાં કેટલો સમય પસાર કર્યો ? (૪) શાસ્ત્ર-સ્વાધ્યાયમાં, શ્રવણ, લેખન, સ્મરણ, ઉપદેશ કે પારાયણ કેટલો સમય કયાં ? (૫) સત્સંગ કોનો અને કેટલો થયો ? (૬) ક્રોધ કેટલી વાર થયો ? (૭) બીજાની નિંદા કેટલી વાર કરી ? (૮) બ્રહ્મચર્યપાલનમાં કેટલી ત્રુટી આવી ? (૯) સિનેમા નાટક-હોટલ-કલબ, ગપ્પાં, રેડિયો, ટી.વી. અને ઇતર વાચનમાં કેટલા સમયનો દુર્વ્યય થયો ? (૧૦) એકાંતમાં - તત્ત્વવિચારણામાં કેટલો સમય ગાળ્યો ? (૧૧) સાધનામાં ઉપયોગી કયો નવો નિયમ લીધો ? (૧૨) કેટલા વાગ્યે સૂતા ? ઉપરોક્ત પ્રકારે ડાયરી લખવાથી અને બની શકે તો અનુભવી સંતને તે બતાવવાથી પ્રમાદનો જય થશે, થયેલા દોષોનું પ્રાયશ્ચિત સારી રીતે બની શકશે, અનેકવિધ જીવનસુધારણા અમલમાં આવશે અને થોડા કાળમાં મહાન સાધકની દશા પ્રગટ થશે. જય થાઓ ! પ્રમાદજયમાં પ્રેરણા (૧) આળસુ બને તો સમયનો સદુપયોગ ન થઈ શકે અને જીવનની સિદ્ધિ પણ ન બની શકે માટે આળસને મહાન દુમન ગણીને અને ઉદ્યમને પરમ મિત્ર ગણીને જે કર્તવ્યનિષ્ઠ બને છે તે પુરુષને સર્વ ઈષ્ટકાર્યની સિદ્ધિ થઈ જાય છે. (૨) મહાપુરુષોએ નિદ્રા અને પ્રમાદને તામસિક સુખ કહી હલકામાં હલકાં ગણી તેનો ત્યાગ કરવાની આજ્ઞા કરી છે. નિદ્રાને આળસુની કન્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy