SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થની સાધના ગૃહસ્થની સાધનાની અગત્ય અને મર્યાદા (૧) ગૃહસ્તેવ હિ ધર્માનાં સર્વેષામ્ મૂલમુચ્યતે | બધા આશ્રમોની સાધનાનું મૂળ ગૃહસ્થાશ્રમ છે. (૨) જેને ઘેર આ દિવસ કલેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘે૨ પવિત્રતાનો વાસ છે. (૩) સાચું ઘર તે જ છે જે મુનિઓના પધારવાથી પવિત્ર થયું છે, તે વિના તો તે ઘર નિર્જન વન જેવું જ છે. (૪) જ્યાં ભગવાનની ભક્તિ-આરાધના થતી હોય, ગુરુજનોનો આદરસત્કાર થતો હોય, આત્માર્થી-સાધકો પ્રત્યે સાચો પ્રેમપૂર્ણ વ્યવહા૨ હોય, તત્ત્વોનો અભ્યાસ થતો હોય, પોતે લીધેલા વ્રત-નિયમમાં પ્રીતિ હોય અને ધર્મ તથા તત્ત્વની નિર્મળ શ્રદ્ધા હોય આ બધું જ્યાં હોય તે બુદ્ધિમાન પુરુષોનો ગૃહસ્થાશ્રમ કહેવાય છે. તેથી વિપરીત તો માત્ર દુઃખ દેવાવાળી (ઘરરૂપી) જેલ છે એમ જાણો. (પ) ભગવાનની પૂજા, ભાવના, તપશ્ચરણ અને દાન - ૨૪૯ -- સાધુસંતોની ભક્તિ, સ્વાધ્યાય, સંયમઆ છ ગૃહસ્થનાં દૈનિક કર્મો છે. (૬) તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાર્થે અન્યાય સંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહિ. (૭) આહાર, વિહાર, નિહાર (મળમૂત્રાદિનો ત્યાગ) સંબંધી નિયમિતતા અને સપ્રમાણતાને જાળવજે. (૮) મહારંભી હિંસાયુક્ત વ્યાપારમાં આજે તારે પડવું પડતું હોય તો અટકજે. (૯) ગૃહસ્થ એકાંતે ધર્મસાધન ક૨વા ઇચ્છે તો તે તેમ કરી શકે નહિ. (૧૦) સેંકડે ઊપજે શૂર, હજારે પામે વિદ્વત્તા, લાખોમાં વક્તા કોઈક, દાતા થાય કે થાય ના.’ ગૃહસ્થની સાધના : જીવંત દૃષ્ટાંતો [૧] વર્તમાન સદીની શરૂઆતનો કાળ. આ જમાનામાં હજુ હિંદી ભાષાના પ્રચાર માટે નહિવત્ પ્રયત્નો થયેલા અને અંગ્રેજીની અને ઉર્દૂની બોલબાલા વધારે હતી. અંગ્રેજી સાહિત્યની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy