SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ભૂમિકા સામાન્ય રીતે લોકો મહત્તા તેને કહે છે જે વડે અન્ય મનુષ્યોને વિશે પોતાના મોટા હોવાપણાની માન્યતા હોય. અન્ય મનુષ્યો આપણને મોટા કહે અને તેવો વ્યવહાર આપણી સાથે કરે તો સારું એવી જ્ગતના જીવોની મહેચ્છા હોય છે. અને તેથી તેવી લોકમાન્યતા ઉત્પન્ન કરવામાં અને ટકાવી રાખવામાં તેઓ રચ્યાપચ્યા રહે છે. મહત્તા કોઈક લોકો તનથી મહત્તા માને છે, કોઈક સત્તાથી, કોઈક કુટુંબપરિવારથી, કોઈક શારીરિક તંદુરસ્તી કે સૌન્દર્યથી, કોઈક લાંબા આયુષ્યથી, કોઈક ઊંચા કુળથી તો કોઈક બાહ્ય તપ કે શાસ્ત્રના જાણપણાથી પોતાની મહત્તા માને છે. આમ, જુદા જુદા મનુષ્યો જુદી જુદી રીતે મહત્તાની માન્યતા કરી તે મેળવવામાં પ્રયત્નશીલ છે. સાચી મહત્તા જ્ઞાનીઓ કહે છે કે સાચી મહત્તા તેણે પ્રાપ્ત કરી છે જેણે સાચું સુખ પ્રાપ્ત કર્યું છે. સાચા અને સંપૂર્ણ સુખની પ્રાપ્તિ થઈ જવાથી અન્ય કોઈ પ્રકારની મહેચ્છા રહી જતી નથી અને કૃતકૃત્યતાનો અનુભવ થાય છે. આવી કૃતકૃત્યતા તો ત્યારે પ્રાપ્ત થાય જ્યારે આત્માનાં જ્ઞાન, આનંદ આદિ ગુણો પૂર્ણપણે પ્રગટે અને અજ્ઞાન, રાગ અને દ્વેષ સંપૂર્ણપણે નાશ પામે. લોકપ્રસિદ્ધ મહત્તા જ્યાં જેટલું સત્યનું અનુસરણ હોય છે ત્યાં તેટલી પારમાર્થિક મહત્તા અવશ્યપણે પ્રગટ થાય છે. લોકમાં પણ સત્કાર્યો એકનિષ્ઠાથી અને સ્વાર્થરહિતપણે કરે તેને સુયશની પ્રાપ્તિ થાય છે અને તે પુરુષ મહાન ગણાય છે. આવા લોકકલ્યાણનાં અનેક કાર્યો છે અને નિઃસ્વાર્થ સમાજસેવકો, સજ્જનો, માનવતાવાદીઓ અને પરહિત-રત સંતો આવાં કાર્યો કરતા રહે છે. આવા કાર્યોમાં સદાવ્રતો ખોલવાં, ધર્મશાળાઓ બંધાવવી, બાલમંદિરો, શાળાઓ, વિશ્વવિદ્યાલયોનું નિર્માણ કરવું, હૉસ્પિટલો, કૉલેજો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy