SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ સાધક-સાથી છે. સાત વર્ષની ઉંમરે તેમને જાતિસ્મરણ જ્ઞાન (આગલા ભવોનું સ્પષ્ટ સ્મરણ) થયેલું. તેમણે દસ વર્ષની ઉંમરે લખેલી પુષ્પમાળા’ અને સોળ વર્ષની ઉંમરે લખેલી મોક્ષમાળા’ મોટા મોટા પંડિતોના ગર્વને પણ ગાળી નાખે તેવા જ્ઞાનનો, નીતિનો, ન્યાયનો, સિદ્ધાંતનો, ભાષાસૌષ્ઠવનો, કવિત્વનો, વચનાતિશયનો, વિચારગાંભીર્યનો અને પૂર્વભવમાં તેમણે સાધેલી સાધનાનો સ્પષ્ટ પરિચય કરાવી દે છે. તેઓએ પોતે જ કરેલાં કેટલાંક વિધાનો આપણને પુનર્જન્મની સ્પષ્ટ પ્રતીતિ કરાવે છે. (અ) આ કાળમાં પણ કોઈ કોઈ મહાત્માઓ ગતભવને જાણી શકે છે, તે જાણવું કલ્પિત નહિ પણ સત્ય હોય છે. ઉત્કૃષ્ટ સંવેગ, જ્ઞાનયોગ અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલે શું કે ભૂતભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે. જ્યાં સુધી ભૂતભવ અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનું ધર્મપ્રયત્ન શંકાસહ આત્મા કર્યા કરે છે અને શંકાસહ પ્રયત્ન તે યોગ્ય સિદ્ધિ આપતું નથી. પુનર્જન્મ છે, આટલું પરોક્ષે પ્રત્યક્ષે નિઃશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી તે પુરુષને આત્મજ્ઞાન થયું હોય એમ શાસ્ત્રશૈલી કહેતી નથી. (બ) જેમ બાલ્યાવસ્થાને વિશે જે કાંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય અને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે ને કેટલાકને ન રહે. ન રહેવાનું કારણ એ છે કે પૂવદેહ છોડતાં બાહ્ય પદાર્થોને વિશે જીવ વળગી રહી મરણ કરે છે અને નવો દેહ પામી તેમાં જ આસક્ત રહે છે, તેને પૂર્વ પયયનું ભાન રહે નહિ. આથી ઊલટી રીતે પ્રવર્તનારને એટલે અવકાશ રાખ્યો હોય તેને પૂર્વનો ભવ અનુભવમાં આવે છે. (ક) પૂર્વે આરાધન કરેલા એવાં નિવૃત્તિનાં ક્ષેત્રો વન, ઉપવન, જોગ, સમાધિ અને સત્સંગાદિ જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠા વારંવાર સાંભરી આવે છે. તથાપિ ઉદયપ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે. સત્સંગની રૂચિ રહે છે. તેનો લક્ષ રહે છે, પણ તે વખત અત્રે નિયમિત નથી... સત્સંગનું અત્યંત માહાભ્ય પૂર્વભવે વેદન કર્યું છે તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે અને નિરંતર અભંગપણે તે ભાવના ફુરિત રહ્યા કરે છે. () નાનપણે કોઈ ગામ, વસ્તુ આદિ જોયાં હોય અને મોટપણે કોઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે તે વખતે, તે ગામાદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે તે પ્રકારે જાતિસ્મરણજ્ઞાનવાનને પૂર્વભવનું ભાન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy