SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ દુર્જનસંગતિત્યાગ ભૂમિકા દુષ્ટ અને પાપમય કાર્યોમાં જે પ્રવર્તે છે તેમને દુર્જન કહેવામાં આવે છે. વારંવાર દુષ્કમમાં પ્રવર્તવાથી તેમને તેવાં કામોમાં પ્રવૃત્તિ કરવાની એવી સજ્જડ ટેવ પડી જાય છે કે આગળપાછળનો કોઈ પણ વિચાર કર્યા વિના કે પોતાને કોઈ લાભ ન થતો હોય તો પણ તેવાં દુષ્કર્મોમાં તેઓ નિરંતર પ્રવૃત્તિ કર્યા જ કરે છે. દુર્જનોનો સ્વભાવ જેમ સળગતા અગ્નિને ગમે ત્યાંથી અડકીએ તો પણ દાઝીએ છીએ અને કાજળની કોટડીમાં ગમે તેવી ચતુરાઈથી ચાલીએ તોપણ થોડું કાજળ તો લાગે જ છે, તેમ અનેક પ્રકારના દુર્ગુણોવાળા દુર્જનનો થોડો પણ સંગ થઈ જાય તો દૂષણ લાગ્યા વિના રહેતું નથી. સજ્જન પુરુષના અનેક ઉત્તમ ગુણોને પણ દુર્ગુણ તરીકે જ ખતવે એવો દુર્જનના હૃદયનો મલિન આશય હોય છે. નિ:સ્પૃહી પુરષને તે અભિમાની કહે છે, વિનયવાનને તે મસ્કાબાજ કહે છે, સરળ પુરુષને પણ તે લુચ્ચા તરીકે ગણે છે અને પોતાનું કાર્ય કરી આપે તેને પણ ગરજવાન કહે છે. બીજાની વાત તો ઠીક પણ સગાં ભાઈ, બહેન કે માબાપનો પણ વિશ્વાસઘાત કરતાં તે ખચકાતો નથી તો અન્ય કોઈના પ્રત્યે સારું વલણ તે કેવી રીતે અપનાવી શકે ? માટે જરૂરી છે કે બને ત્યાં સુધી દુર્જનનો પ્રસંગ જીવનમાં ન પાડવો પણ જો ન છૂટકે તેમ કરવું પડે તો પ્રયોજન પૂરું થયે તુરત જ તેનાથી અલગ થઈ જવું. જો કે દુર્જનને ધિક્કારવાનો નથી પણ તેની દુર્જનતાનો જ બહિષ્કાર કરવાનો છે, તો પણ સામાન્ય માણસે દૂરથી જ દુર્જનનો પરિચય કરવો; નહિ તો નક્કી છે કે તેના અલ્પ પરિચયથી પણ મનુષ્યને આ લોકમાં ભય, આકુળતા, શંકા અને અશાંતિ ઊપજે છે અને દુષ્કાયમાં પ્રવૃત્તિ થવાથી BURL Rizsla olet 2014 private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy