SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્ય દુઃખપ્રસંગનો યોગ ↓ વિષયભોગની ક્ષણભંગુરતા અને અસાર્થકતાનું યથાર્થ ભાન ↓ વૈરાગ્યભાવની ઉત્પત્તિ ↓ યમનિયમાદિનું પાલન અને સત્સંગ-સદ્ગુરુનો આશ્રય ↓ તત્ત્વજ્ઞાનનાં શાસ્ત્રોના વાચન-વિચારમાં પ્રેરણા ↓ વૈરાગ્યની દૃઢતા, ચિત્તની નિર્મળતા, મોહનો ઉપશમ અને વિચારબળની વૃદ્ધિ ↓ તત્ત્વવિચારનો સુદૃઢ અભ્યાસ ↓ ચિત્તસ્થિરતા અને આત્માનુભવ ↓ આત્મસાક્ષાત્કાર ↓ ક્રમશઃ પરમપદપ્રાપ્તિ ૧૭૧ વૈરાગ્યભાવની સાધના જો આપણે ખરેખર આત્મકલ્યાણને ઇચ્છીએ છીએ તો વૈરાગ્યભાવને સર્વ પ્રકારે દૃઢ કરવો આપણા માટે આવશ્યક છે. આ વૈરાગ્યભાવની ઉત્પત્તિ, સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટે નીચેની બાબતોને જીવનમાં વણી લેવી ઘટે : (૧) સત્સંગ-આરાધન • નિયમિતપણે દૈનિક, અઠવાડિક, માસિક કે વાર્ષિક કક્ષાએ અખંડ નિષ્ઠાથી સત્સંગની આરાધના કરવી જોઈએ. વ્યક્તિગત સંજોગો પ્રમાણે તે સાધના સદ્ગુરુના સાન્નિધ્યમાં હો, જ્ઞાનીની સમીપમાં હો કે સત્સંગી-મુમુક્ષુઓના સંગમાં હો. (૨) સત્શાસ્ત્રોનો નિયમિત અભ્યાસ : આવાં શાસ્ત્રોમાં મુખ્યપણે સંસારભોગોની ક્ષણભંગુરતા અને તત્ત્વજ્ઞાન તથા સદાચારની ઉત્તમતાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy