SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ સાધક-સાથી ધ્યાનમાં લાગે છે ત્યારે તે જ શાસ્ત્રમાં કહેલા આ બધાય ચોર્યાશી લાખ ઉત્તગુણોનું પાલન સ્વયમેવ થઈ જાય છે અને તે ગુણોનો જુદો જુદો હિસાબ રાખવાની જરૂર પડતી નથી. કહ્યું છે કે : રહી ધ્યાનમાં તલ્લીન, છોડે સાધુ દોષ સમસ્તનો; તે કારણે બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે,” નિયમસાર : ગાથા é) આવો સાપેક્ષદૃષ્ટિયુક્ત શાસ્ત્રસંમત ઉત્તર સાંભળી પંડિત દેવકીનંદનને હર્ષ થયો અને તેમના મનનું સમાધાન થયું. આવું ઉત્તમ ફળ છે સાપેક્ષ જ્ઞાનપદ્ધતિનું ! મધ્યયુગના સંતોમાં મહાત્મા કબીરજીનું નામ ખૂબ પ્રસિદ્ધ છે. એક વખત કોઈ માણસે મોટું પાપ કર્યું પણ પાછળથી તેને ખૂબ પસ્તાવો થયો. મિત્રોએ તેને સલાહ આપી કે તું કબીરજીની પાસે જઈ પ્રાયશ્ચિત લે. પેલો માણસ કબીરજીને ઘેર આવ્યો પણ તેઓ બહાર ગયા હતા. તે માણસે કબીરજીનાં ધર્મપત્નીને સઘળી હકીકત જણાવી. કબીરજીનાં ધર્મપત્નીએ તે માણસને ખૂબ ભાવથી પ્રભુનું નામ-સ્મરણ ત્રણ વાર કરવા જણાવ્યું. પેલા માણસને તેમ કરવાથી પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટ્યો. આ વાત કબીરજીના જાણવામાં આવી. તેઓએ ધર્મપત્નીને પૂછયું : શા માટે તેં પ્રભુનું નામ ત્રણ વાર લેવાનું કહ્યું? શું એક જ વારના સાચા નામસ્મરણથી પ્રભુપ્રેમ ન પ્રગટી શકે ?” ધર્મપત્નીએ જવાબ આપ્યો : “મનથી. વચનથી અને કાયાથી એમ ત્રણ પ્રકારે પ્રભુનું નામસ્મરણ લેવાય તે માટે મેં ત્રણ વાર પ્રભુનું નામસ્મરણ કરવા જણાવ્યું હતું.’ ધર્મપત્નીની આવી વિશિષ્ટ યુક્તિવાળી દૃષ્ટિથી કબીરજી પ્રસન્ન થયા અને તેમને ધન્યવાદ આપ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy