SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાગધર્મ ૧૦૯ દીધું છે. શું આવા મહાપુરુષો જ જીવતાજાગતા જંગમ તીર્થસ્વરૂપ નથી ? અહો ! તેઓ જ્યાં વિચરે છે તે ભૂમિ સ્વયં તીર્થધામરૂપ બની જાય છે ત્યાગધર્મનાં જીવંત દૃષ્ટાંતો | [૧] ઈ.સ. ૧૯૫૫ના ઓગસ્ટ માસની આ વાત છે. પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી શાંતિસાગરજી મહારાજને ૮૨ વર્ષની અવસ્થામાં આંખે મોતિયો આવ્યો અને શરીરમાં પણ ઘણી અશક્તિ લાગવા માંડી. આ સમયે તેઓશ્રીની સ્થિરતા તીર્થક્ષેત્ર શ્રી કુંથલગિરિ (મહારાષ્ટ્ર)મુકામે હતી. જૈન મુનિઓનો નિયમ હોય છે કે વિહાર કરતી વખતે ભૂમિ જોઈ-તપાસીને ચાલવું. આંખની તકલીફને લીધે મહારાજશ્રીને વિહારમાં તથા આહારમાં તકલીફ થવા લાગી, જેથી તેમણે પોતાના શરીરને ધર્મસાધનામાં બિનઉપયોગી જાણીને સલેખના * લેવાનો નિર્ણય કર્યો અને તા. ૧૪-૮-૧૯૫૫ના રોજથી આહારનો ત્યાગ કર્યો. ધીમે ધીમે તેમનું શરીર ક્ષીણ થતું ગયું પણ તેમનો આત્મા દૃઢ સંયમમાં, ઘોર તપમાં, અદ્વિતીય નિઃસ્પૃહતામાં અને અદ્દભુત ત્યાગમામાં વિકાસ પામતો ગયો. સમસ્ત ભારતમાંથી લાખોની સંખ્યામાં જૈન અને જૈનેતર જનતા તેમના દર્શનાર્થે ઊમટી પડી. તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રપ્રસાદ, ઉપરાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણન તથા અનેક વિદ્વાન, શ્રીમાન અને ધીમાનોએ પણ તેમના દર્શન-ઉપદેશનો લાભ લીધો. આખરે, સમભાવપૂર્વક અને અત્યંત શાંતિથી તા. ૧૮-૯-૧૯૧૫ના રોજ આજીવન ઉપવાસના પાંત્રીસમા દિવસે તેઓએ સમાધિમરણની પ્રાપ્તિ કરી. ધર્મપાલનની રક્ષા માટે સૌથી વહાલો એવો જે પોતાનો દેહ તેનો સ્વેચ્છાથી અને સમભાવથી આયોજનપૂર્વક ત્યાગ કરવાની શક્તિવાળા આવા મહાન તપસ્વીઓને આપણા ફરી ફરી નમસ્કાર હો ! [૨] ઈગ્લેંડનાં રાણી ઈલિઝાબેથના અમલમાં એક અંગ્રેજી ફોજ હોલેન્ડની * સંકલ્પપૂર્વક, આમરણાંત ભોજન અને ઇચ્છાઓનો ધર્મની રક્ષા અર્થે સ્વૈચ્છિક ત્યાગ કરવો તેને સલ્લેખના કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy