SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિમાર્ગની આરાધના ૧૦૧ સંત, સદ્ગુરુ કે પરમાત્માના ગુણોની ઓળખાણ કરવાની છે. જેમનાં જ્ઞાન અને ચારિત્ર નિર્મળ છે, જેઓ શાંત, નિઃસ્પૃહ, પરોપકારી અને સમાધિયુક્ત છે તેવા ગુરુની ભક્તિ કરવી ઇષ્ટ છે. આ જ પ્રમાણે અનંત જ્ઞાન, અનંત આનંદ આદિ સંપૂર્ણ આત્મગુણો જેમના પૂર્ણપણે પ્રગટી ગયા હોય તેવા વીતરાગ અને હિતોપદેશક દેવ તે સાચા પરમાત્મા છે. આવા ઉત્તમ દેવ અને ગુરુની ભક્તિ કરવાથી આપણા દોષ મટે છે અને વિશુદ્ધ ભાવોની આપણને પ્રાપ્તિ થાય છે. આમ જે ભક્ત પોતાના ઇષ્ટદેવ અથવા ગુરુ)ના ગુણોની ઓળખાણ યથાર્થપણે કરી તે ભક્ત હવે તેમના ગુણોને સ્વીકારે છે, તેમના ગુણો વડે પ્રમોદ પામે છે. તેમના ગુણોને ગ્રહણ કરવા ઈચ્છે છે અને તે માટે તે તે ગુણોનો પોતાના જીવનમાં અભ્યાસ કરે છે. આ પ્રમાણે પોતાના ઈષ્ટદેવ કે ગુર)ના ગુણોની પ્રકર્ષતાથી પ્રસન્ન થઈ તે ગુણોને પ્રગટ કરવાની જે પ્રેમપૂર્ણ વૈજ્ઞાનિક પ્રક્રિયા તે જ સાચી ભક્તિ છે. આવી ભક્તિની આરાધનામાં લાગેલો ભક્ત ક્યા ક્યા વિધવિધ પ્રકારોને સેવે છે, તે હવે આપણે જોઈએ. ભક્તિના વિવિધ પ્રકારો અધ્યાત્મ કવિઓએ શ્રવણ, કીર્તિન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા અને એકતા એમ નવવિધ ભક્તિની પ્રરૂપણા કરી છે. ભક્તિના આ બધા પ્રકારો પ્રસિદ્ધ છે અને તેમનાં નામ પ્રમાણેના ભાવરૂપે પ્રવર્તવાથી ભક્તિના તે તે પ્રકારોની સિદ્ધિ થાય છે. અત્રે તો એટલું જ મુખ્યપણે કહેવું છે કે જેમ જેમ ભક્તિમાર્ગની તાત્ત્વિક આરાધના થતી જાય છે તેમ તેમ તામસિક અને રાજસિક વૃત્તિઓ જીવનમાં ઘટતી જાય છે, પ્રભુપ્રેમની વૃદ્ધિ થતી જાય છે, સર્વત્ર સર્વ પ્રાણીઓમાં એક પરમાત્માનાં જ દર્શન ભક્તને થવા લાગે છે અને હર્ષાશ્રુ, રોમાંચ, દેહભાનનું વિસ્મરણ, જાહેરમાં નૃત્યાદિરૂપ પ્રવર્તન, કંઠઅવરોધ વગેરે સાત્વિક ભક્તિનાં લક્ષણોનો અનુભવ થવા લાગે છે અને આખરે ભક્ત-ભક્તિ અને ભગવાનનું ઐક્ય સિદ્ધ થતાં પરાભક્તિ કે અનન્યભક્તિની દશા પ્રકટે છે અને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ જાય છે. આવા પ્રકારની સિદ્ધિ થવા માટે અનેક પ્રકારની ક્રમબદ્ધ શિસ્ત, સતત અભ્યાસ, અત્યંત પ્રભુપ્રેમ, જગતના પદાથો પ્રત્યે અનાસક્તિ, સત્સંગ વગેરે અનેકવિધ સાધનામાંથી પસાર થવું પડે છે. ઉત્તમ ભક્તોનાં જીવનચરિત્રો ઉપર આપણે દૃષ્ટિ ફેરવી જઈએ તો આ વાતનો તરત જ આપણને ખ્યાલ આવી જાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy