SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ કરુણા થઈ આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ, જરા, મૃત્યુ, રોગ, અપમાન, તાડન, ભેદન, છેદન, નિર્ધનતા, અંગરહિતપણું, જ્ઞાનની ન્યૂનતા વગેરે અનેક દુઃખો પડશે જે તેમને વેઠવાં પડે છે. આવાં દુઃખોથી તેઓ કાયમને માટે છૂટી જાય તે અર્થે જરૂરી એવો આત્મજ્ઞાન અને આત્મસંયમનો માર્ગ તેઓ જગતના જીવોને પરમ કરુણાબુદ્ધિથી પ્રેરિત થઈને આપે છે અને જગત-ઉદ્ધારક, તરણતારણ, અધમ-ઉદ્ધારણ, પતિત-પાવનના સાચા બિરુદને પામે છે. નમસ્કાર હો તે આત્મજ્ઞ સંતોના ચરણકમળને વિષે ! અહીં જે પ્રકારે અન્ય દુઃખી જીવોનાં દુઃખને પારમાર્થિક દૃષ્ટિથી નિવારવા સત્યનો ઉપદેશ કર્યો તેમ આ સંતો પોતાના આત્માને પણ જન્મજરા-મરણાદિ દુઃખોથી બચાવવા પરમ પુરુષાર્થ આદરે છે અને તે સિદ્ધ કરવા પોતાના જીવનમાં અજ્ઞાન, રાગ અને દ્વેષની ઉત્પત્તિ થવા ન પામે તેવી જીવન-પ્રણાલિકાનો વિકાસ કરે છે. આમ, પોતાના આત્મામાં રાગ-દ્વેષ- અજ્ઞાનની ઉત્પત્તિનો અભાવ કરવાની જે વિધિ તેને સ્વ-આત્મની કરુણા કહે કરુણાનો મહિમા (૧) જેમ જેમ જીવનમાં કરુણાનો વિકાસ થાય છે તેમ તેમ અધ્યાત્મવિકાસ માટેની તેટલી તેટલી ભૂમિકા બંધાતી જાય છે. (૨) કરુણાનો ભાવ સર્વોદય સમાજરચનાનું અગત્યનું અંગ છે. તેમાં બે મુખ્ય ભાવો ગર્ભિત છેઃ પ્રથમ તો એ કે બીજાનું દુઃખ જોઈ તેને દરેક પ્રકારે મદદરૂપ થવાનો ભાવ રહેલો છે. આ પ્રકારના જીવનને અંગીકાર કરવાથી અંગત માલિકીપણાની ભાવનાનો સંક્ષેપ થઈ જાય છે અને જીવનજરૂરિયાતની ચીજોના સ્વૈચ્છિક વિતરણની ભાવના વિકાસ પામે છે. જ્યાં આમ બને છે ત્યાં જીવનજરૂરિયાતની ચીજોની અછતથી થતી વિષમતાનો હાસ થવાથી સર્વોદયને અનુરૂપ સમાજરચનાનું કાર્ય સ્વયં સાકાર થવા લાગે છે. (૩) જેટલા પ્રમાણમાં સાધકે અધ્યાત્મમાર્ગમાં ખરેખર પ્રગતિ કરી હોય તેટલા પ્રમાણમાં તેનું ચિત્ત અન્ય જીવોનાં દુઃખોને જોઈને દ્રવિત થઈ જાય છે. આ સિદ્ધાંતનો એટલો સચોટરૂપે સત્યાર્થ છે કે જેટલી બોધિસમાધિના માર્ગમાં સાચી પ્રગતિ તેટલી જીવનમાં કરુણાભાવની વૃદ્ધિ. આ સિદ્ધાંત પ્રગટ દૃષ્ટાંતોનો આપણે ઉત્તમ સંતો અને આચાર્યોના જીવનમાં પ્રત્યક્ષપણે જોઈ શકીએ છીએ કે જ્યાં નાનામાં નાના જીવના અલ્પ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy