SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. વિશ્વાસ હું * * * * વિશ્વાસ એટલે શ્રદ્ધા, આસ્થા, રુચિ, પ્રતીતિ, Faith. અંદરનો જે આત્યંતિક આસ્તિકયનો ભાવ છે એ શ્રદ્ધા છે. શ્રદ્ધા એ ધર્મનું મૂળ છે એમ આગમમાં આપણે બોલીએ છીએ ‘વંશળ મૂલો થો’ અને ચારિત્ર તે સાક્ષાત્ ધર્મ છે. ‘વ્રુત્તિ રવ્રુત્તુ ધો'. વિશ્વાસ વિના આગળ વધી શકાય નહિ. વિશ્વાસ વિના કોઇ પણ સાચી આધ્યાત્મિક પ્રગતિ થઇ શકતી નથી. શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ કહ્યું ‘શ્રદ્ધાવાન તમતે જ્ઞાનં, संशयात्मा विनश्यति ।' ‘શ્રી તત્ત્વાર્થ સૂત્ર’માં પહેલા અધ્યાયમાં સૂત્ર આવે છે, એમાં ‘સમ્યવńનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાŕ:' એમ કહ્યું. ‘છ ઢાળા’માં મોક્ષમાર્ગની પ્રથમ સીડી તે સમ્યગ્દર્શનને કહી છે. “જો કે ભક્તિમાર્ગની આરાધના કરતી વખતે સર્વત્ર પ્રભુમાં વિશ્વાસ તો જરૂરી છે જ, પણ આ કક્ષાએ વિશ્વાસ તેની ચરમસીમાએ પહોંચે છે. અહીં, ભક્તજન થાકી જઇને જાણે કે પ્રભુ કે સદ્ગુરુના ખોળે જઇ બેસે છે, જેમ કોઇ બાળક બહારથી રમી આવીને, થાક્યોપાક્યો થયેલો માતાના ખોળામાં જઇ પડે તેમ. જેમ બાળકને માતામાં અતૂટ વિશ્વાસ છે કે તેણી તેના પર હેતથી હાથ ફેરવી તેનો થાક ઉતારશે અને ખાવાપીવાનું આપશે તેવો જ - પણ તેથી અનેકગણો વધારે વિશ્વાસ ભક્તને ભગવાનમાં છે.’ Jain Education International બાળકને માતામાં અતૂટ વિશ્વાસ હોય છે કે મારું સર્વ પ્રકારે તે હિત કરશે, તેમ ભક્તને, સાધકને, મુમુક્ષુને, પરમાત્મામાં અત્યંત વિશ્વાસ હોય છે. એ વિના સાધનામાં આગળ વધી શકાતું નથી. શ્રદ્ધા એ સહેલી વસ્તુ નથી. શ્રદ્ધા એ અંધવિશ્વાસ નથી. શ્રદ્ધા એ સાચી સમજણથી અનુભવાંશે For Private & Personal Use Only “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. પ્રાર્થના ૬૩ www.jainelibrary.org
SR No.001279
Book TitlePrarthana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherSadguru Bhakti Swadhyay Mandal Ahmedabad
Publication Year2006
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy