SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ‘અમારો અહમભાવ કઢાવો ને?' ભાઈ ! તારી તૈયારી હું આત્મા છું, કેટલી છે તે જાણવું જોઇએ. પહેલાં તારી તૈયારી ૩૫% થી વધારે ! આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” થાય ત્યાર પછી સપુરુષ તને તેમાં મદદ કરી શકે. ત્યાં સુધી તેઓ મૌન છે અને મધ્યસ્થ છે. જ્ઞાનીપુરુષ દરેકને સરખો બોધ નથી આપતા. જે બોધ છે એ તો સામાન્ય છે. વિશેષ બોધ તો વ્યક્તિગત આપવામાં આવે છે. સામાન્ય બોધ સામાન્ય છે. મોક્ષના દરવાજા ઉઘાડવા માટે તો વિશેષ બોધ જોઇએ; જે પોતાની લાયકાત પ્રમાણે વ્યક્તિગતપણે મળે છે. સામાન્ય બોધ જે છે તે સામાન્ય પાત્રતા પ્રાપ્ત કરવા માટે છે, પરંતુ સાક્ષાત્ મોહગ્રંથિનો ભેદ કરવા માટે જે સૂક્ષ્મબોધ જોઇએ તે તો સત્પાત્રતા પ્રગટે, સાચો સમર્પણભાવ પ્રગટે તો અને ત્યારે મળે છે. પ્રાર્થના એ પુરુષાર્થ અને પ્રારબ્ધ વચ્ચેનો સેતુ છે. જ્યારે મોક્ષમાર્ગમાં પુરુષાર્થ ચાલે નહિ, ત્યારે ફરી ફરી પ્રાર્થના કરવી. “કેશવ હરિ મારું શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે? લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે. મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે...” –ભક્તકવિ શ્રી કેશવલાલ જ્ઞાની પુરુષો પણ પ્રાર્થના કરે છે. દ્રોપદીકો ચીર બઢાયો, સીતા પ્રતિ કમલ રચાયો; અંજન સે કિયે અકામી, દુઃખ મેટો અંતરજામી. જો ગાંવપતિ ઇક હોર્વે, સો ભી દુખિયા દુઃખ ખો; તુમ તીન ભુવન કે સ્વામી, દુઃખ મેટો અંતરજામી.” –શ્રી માણિકચંદ કૃત લધુ લચના હેમચંદ્રાચાર્યજી વિષે ગુજરાતના લોકોને વિશેષ કહેવાની જરૂર નથી. ૧૧મી સદીના પ્રારંભ સુધી તેઓ હતા. ચાણક્યવંશના સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના તેઓ ૪૯ પ્રાર્થના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001279
Book TitlePrarthana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherSadguru Bhakti Swadhyay Mandal Ahmedabad
Publication Year2006
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy