SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મા પાસે શક્તિ વારંવાર માગવી પડે છે અને એ હું આત્મા છે. ભગવાનની બનાવેલી શ્રાવકની અને મુનિની ચર્યામાં વણી આપનો સેવક છું, સૌનો મિત્ર છું.) લેવામાં આવી છે. સામાયિકમાં શું કરો છો ? વંદના, આ આલોચના, પ્રતિક્રમણ.... આ બધું શું છે ? તમે એને માટે મોટા મોટા શબ્દો વાપરો પણ વસ્તુ તો આની આ જ છે. જ્ઞાનીઓ કહે છે કે અમારે શબ્દો સાથે કાંઈ સંબંધ નથી. અમારે તો ‘ભાવ'ની મુખ્યતા છે. મોક્ષમાર્ગમાં “ભાવ” મુખ્ય છે. આવું લોકો જાણતા નથી એટલે બહારમાં બહુ ક્રિયાઓ કરે છે, પણ અંદરમાં ભાવ શૂન્ય છે અને તેથી ઉત્તમ પદની પ્રાપ્તિ પણ કરતા નથી !! પારમાર્થિક સદ્ગુણોની માગણી કોઇ અપેક્ષાએ બાધક નથી એમ કેમ કહ્યું? આત્માનો અનુભવ કરતી વખતે અથવા એની આગલી ક્ષણમાં ભક્ત અને ભગવાન, અનુભવમાં એક થઇ જાય છે. પ્રાર્થના કરનાર અને જેને પ્રાર્થના કરવામાં આવે છે તે બંને તત્ત્વો તે પ્રાર્થના કરનારના આત્મામાં સમાઇ જાય છે; એટલે પત્રાંક ૮પદમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ પાંચ પ્રકારના બળ કહ્યા છે, એ પણ આના સંદર્ભમાં સમજી લેવા. જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ અને જ્ઞાનબળ. આ પાંચ પ્રકારનાં બળ પ્રાપ્ત કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય કૃપાળુદેવ વચનામૃત ૮પ૬માં “તથારૂપ જ્ઞાનીપુરુષના સાચા સમાગમની ઉપાસના' બતાવે છે. તથારૂપ જ્ઞાનીપુરુષના સમાગમની સાચી ઉપાસના, હે ભવ્ય જીવ ! જો તું કરે તો તારું જિજ્ઞાસાબળ વધે, વિચારબળ વધે, વૈરાગ્યબળ વધે, ધ્યાનબળ વધે અને જ્ઞાનબળ વધે. અને આ વધે તો પછી તારે અને મોક્ષને દૂર નહિ હોય. આ પાંચ બળો જેના વધી જાય તેનું નામ જ સાચા મુનિ, છે પ્રાર્થના ખરેખરા મુનિ એટલે ક્ષણે ક્ષણે અનન્ય પ્રમથી મોક્ષમાર્ગમાં ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001279
Book TitlePrarthana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherSadguru Bhakti Swadhyay Mandal Ahmedabad
Publication Year2006
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy