SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૬-૫૧ રત્નાકરાવતારિકા ભાગ-૩ માટે ત==ત્યાં શબ્દસંબંધી ચાક્ષુષમાં પ્રવર્તતા સર્વે પણ હેતુઓ પ્રત્યક્ષ પ્રમાણ વડે જ ખંડિત પક્ષ હોવાથી ન સ્વીકારવાને યોગ્ય જ છે. તેથી અસ્તિત્વની જ સિદ્ધિ જો ન થાય તો ચાક્ષુષત્વની સિદ્ધિ કેમ થાય ? ८० સારાંશ એ છે કે જે વસ્તુ જગતમાં નથી જ. અથવા છે કે નથી તેનો સંદેહ છે. અથવા છે કે નથી તેનો વિવાદ છે. એવા સમયે વસ્તુના માત્ર અસ્તિત્વ કે નાસ્તિત્વ ધર્મને જ સાધવા પૂરતો વિકલ્પસિદ્ધ ધર્મી પક્ષ હોય છે. સર્વસ્થાને વિક્લ્પસિદ્ધ ધર્મી પક્ષ કરાતો નથી. પરંતુ અસ્તિ-નાસ્તિમાંથી કોઇપણ એકધર્મને સાધવા માટે પક્ષ હજુ અસ્તિરૂપે (કે નાસ્તિરૂપે) સિદ્ધ ન હોવા છતાં મનથી કલ્પીને અસ્તિ-નાસ્તિ સાધવા રજુ કરાય છે. અસ્તિ-નાસ્તિમાંથી એક ધર્મ સિદ્ધ થયા પછી જ બીજા ધર્મની સિદ્ધિ કે અસિદ્ધિ માટે આ સિદ્ધપક્ષ રજુ કરાય છે. ખ-પુષ્પાદિ સંસારમાં નથી. તેથી તેના નાસ્તિત્વને સાધવા માટે વિક્લ્પસિદ્ધ પક્ષ મૂકાય છે. સર્વશ છે કે નહીં એ વિવાદનો વિષય છે. એટલે તેના અસ્તિત્વ અથવા નાસ્તિત્વને સાધવા માટે વિ‚સિદ્ધ પક્ષ મુકાય છે. આ પ્રમાણે અસ્તિત્વ અથવા નાસ્તિત્વ સાધવા પૂરતો જ વિકલ્પસિદ્ધ પક્ષ હોય છે. એકવાર વિક્લ્પસિદ્ધ પક્ષમાં અસ્તિ અથવા નાસ્તિ ધર્મ સિદ્ધ થઇ જાય ત્યારબાદ તે પક્ષમાં બીજા ધર્મો સાધવા માટે જે પક્ષ રજી કરાય તે પ્રમાણસિદ્ધ પક્ષ કહેવાય છે. જેમકે સર્વજ્ઞઃ અસ્તિ ચદ્રોપાળાવિજ્ઞાનાન્યથાનુપપત્તે: આ જૈનના અનુમાનમાં સર્વજ્ઞ: નાસ્તિ પ્રમાળાનોવરાત્ આવા મીમાંસકના અનુમાનમાં પ્રથમ અસ્તિ અથવા નાસ્તિ સાધવા માટે જે “સર્વજ્ઞ” પક્ષ કહેવાયો છે. ત્યાં વિક્લ્પસિદ્ધિવાળો પક્ષ છે. પરંતુ તેનું અસ્તિત્વ સિદ્ધ થયા પછી સર્વજ્ઞ: યથાર્થવતા વીતાવાત્ આ અનમાનમાં “સર્વજ્ઞ” પક્ષ વિક્લ્પસિદ્ધ નથી. પરંતુ પ્રમાણસિદ્ધ છે. કારણકે તેનું અસ્તિત્વ પ્રથમ અનુમાન વડે (અથવા આગમાદિ પ્રમાણો વડે) સિદ્ધ થઇ ચૂકેલું છે. એવી જ રીતે ધારો કે સર્વજ્ઞનું નાસ્તિત્વ સિદ્ધ થઇ જાય ત્યાર બાદ આવું કહેવાય કે સર્વજ્ઞ: વવસ્તા ન મતિ અમત્ત્વાર્ તો તે પ્રમાણસિદ્ધ પક્ષ કહેવાય છે. એવી જ રીતે શબ્દમાં ચાક્ષુષનું અસ્તિત્વ કે નાસ્તિત્વ માત્ર સાધવું હોય તો અવશ્ય વિ‚સિદ્ધ પક્ષ બને જ છે. શબ્દે ચાક્ષુષત્વ, નાસ્તિ, સ્ય શ્રવળવિષયત્વાત્, અથવા પ્રત્યક્ષપ્રમાણેન વાધિતાત્ આવા અનુમાનોમાં નાસ્તિત્વ માત્ર સિદ્ધ કરવા વિક્લ્પસિદ્ધ પક્ષ બને જ છે. પરંતુ તેનાથી નાસ્તિત્વ જ સિદ્ધ થાય છે. અસ્તિત્વ સિદ્ધ થતું નથી. આ પ્રમાણે અસ્તિત્વની અપ્રસિદ્ધિ હોતે છતે ચાક્ષુષત્વની સિદ્ધિ કેવી રીતે થાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy