SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ પરિચ્છેદ ૬-૫૧ રત્નાકરાવતારિકા ભાગ-૩ જોઈએ. અને તે પટીયકૃતકતાની અનિત્ય સાધ્યની સાથે વ્યાતિ સંભવતી નથી. કારણકે “યાત્ પરશુ તત્વ, તક્ષાત્ તનાવ્યનચેન વિતવ્યનિતિ ન'= જેથી પટમાં કૃતકતા છે તેથી તે (પટ વિનાના) અન્ય પણ સર્વ અનિત્ય હોવા જોઈએ” એવી વ્યાપ્તિ થતી નથી, પટીયકૃતકતા હોય એટલે અન્યપદાર્થો અનિત્ય હોય એમ વ્યાપ્તિ સંભવતી નથી. જો આવી વ્યાતિ માનીએ તો પટીયકૃતકતા હોવાથી જેમ અન્ય એવો શબ્દ અનિત્ય બને છે. તેમ પરમાણુ અને આકાશાદિ અન્યપદાર્થો પણ અનિત્ય થવા જોઈએ. પરંતુ પટમાં કૃતકતા હોય તેથી કંઈ પરમાણુ અને આકાશાદિ અન્યપદાર્થો અનિત્ય બનતા નથી. તેમ શબ્દ પણ પટીયકૃતકતા હોય તેથી અનિત્ય છે. એમ કહેવાય નહીં. - આ રીતે જે જેમ કહ્યો હોય તેમજ લેવો જોઇએ. અર્થ બદલવો જોઇએ નહીં. તો સૌ આ કારણથી આ પટમાં વર્તતી કૃતકતા પરમાણુ-આદિમાં અનિત્યતા ન હોય તો પણ (સાધ્યાભાવ કાલે પણ) વર્તે જ છે. એમ વ્યભિચાર દોષવાળો હોવાથી જ સાધ્યનો અગમક છે, એમ જાણવું જોઇએ. પરંતુ વ્યધિકરણ છે એમ ન સમજવું. તથા કાકની કૃષ્ણતા વગેરે હેતુઓ પણ વ્યભિચારી હોવાથી સાધ્યના અગમક જાણવા. જેમ કે- “શ: નિત્ય, વાવસ્થ " અહીં કાગડાની કાળાશ એ અનિત્યસાધ્યની સાથે વ્યાતિ પામતી નથી. શબ્દ અને ઘટાદિમાં અનિત્યતા હોય તો જેમ કાકની કૃષ્ણતા સંસારમાં હોય છે. તેમ પરમાણુ અને આકાશાદિ નિત્ય હોય ત્યારે પણ સંસારમાં કાકની કૃષ્ણતા તો વર્તે છે. માટે વ્યધિકરણ હેત્વાભાસ માનવાની જરૂર નથી. જો વ્યધિકરણને હેત્વાભાસ જ માનીએ તો જલમાં વર્તતું ચંદ્રનું બિંબ આકાશના ચંદ્રનું જે ગમક બને છે. તથા કૃત્તિકા નક્ષત્રનો ઉદય શકટ (રોહિણી) નક્ષત્રના ઉદયનો જે ગમક બને છે. તે પણ ગમક ન બનવો જોઈએ. કારણ કે સાધ્ય ચંદ્રબિંબ ગગનમાં છે. અને હેતુભૂત ચંદ્રબિંબ જલમાં છે. અહીં સાધ્યવાળા અધિકરણમાં હેતુ નથી પરંતુ વિપરીત અધિકરણમાં હેતુ છે. છતાં પણ અવિનાભાવ હોવાથી સાધ્યનો ગમક થાય જ છે. એવી જ રીતે કૃત્તિકાનો ઉદય પૂર્વકાલમાં છે. શકટનો ઉદય પશ્ચાત્કાલમાં છે. એટલે વિપરીત અધિકરણ છે. છતાં પણ અવિનાભાવ હોવાથી સાધ્યનો ગમક બને જ છે. માટે વિપરીત અધિકરણમાં હેતુ રહે એટલા માત્રથી તેને હેત્વાભાસ કહેવાય નહીં તેથી વ્યધિકરણ હેત્વાભાસ નથી. ૬. આશ્રયાસિદ્ધ હેત્વાભાસનું ખંડન आश्रयासिद्धतापि न युक्ता । अस्ति सर्वज्ञः, चन्द्रोपरागादिज्ञानान्यथानुपपत्तेरित्यादेरपि गमकत्वनिर्णयात् । कथमत्र सर्वज्ञधर्मिणः सिद्धिः ? इति चेत्, असिद्धिरपि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy