SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ પરિચ્છેદ ૬-૩૫,૩૬ રત્નાકરાવતારિકા ભાગ-૩ टीका-न हि मैत्रतनयत्वहेतोः श्यामत्वेन व्याप्तिरस्ति, शाकाद्याहारपरिणतिपूर्वकत्वाच्छ्यामतायाः । यो हि जनन्युपभुक्तशाकाद्याहारपरिणामपूर्वकस्तनयः स एव श्याम इति सर्वाक्षेपेण यः प्रत्ययः स तर्क इति ॥६-३६॥ સ્મરણાભાસ, પ્રત્યભિજ્ઞાભાસ સમજાવીને હવે તકભાસ સમજાવે છે– સૂત્રાર્થ- વ્યાપ્તિ ન થતી હોવા છતાં પણ વ્યામિનું જ્ઞાન કરવું તે તકભાસ (અર્થાત્ વ્યાત્વાભાસ) કહેવાય છે. જેમકે-“તે પુત્ર મિત્રાતનય હોવાથી શ્યામ છે.” અહીં જે કોઇ મિત્રાતનય હોય તે શ્યામ છે. આવું કહેવું તે તકભાસ છે. I ૬-૩૫-૩૬ ટીકાનુવાદ–પરોક્ષપ્રમાણના આભાસો સમજાવે છે. ત્યાં સ્મરણાભાસ અને પ્રત્યભિજ્ઞાભાસ કહીને હવે તકભાસ કહે છે. “સાધ્ય હોય ત્યાં જ હેતુ હોય તે અન્વયવ્યાપ્તિ છે. અને સાધ્ય ન હોય ત્યાં હેતુ ન હોય તે વ્યતિરેક વ્યક્તિ છે” તેને બદલે સાધ્ય ન હોય ત્યાં પણ હેતુ હોય એવો હેતુ મૂકીને (એટલે સાધ્યાભાવવર્તિવ્યભિચારી હેતુ મૂકીને) વ્યામિ જણાવવી તે વ્યાતિઆભાસ-તકભાસ કહેવાય છે. જેમકે તે પુત્ર, શ્યામ છે, મિત્રાપુત્ર હોવાથી. અહીં જે જે મિત્રાના પુત્ર હોય તે બધા શ્યામ હોય એવો નિયમ નથી. અર્થાત્ શ્યામત્વ સાધ્ય વિના પણ (અષ્ટમપુત્ર ગૌર હોવાથી ત્યાં પણ) મિત્રાતનયત્વ હેતુ છે. તેથી મિત્રાતનયત્વ હેતુની શ્યામત્વ સાધ્યની સાથે વ્યાપ્તિ થતી નથી. કારણકે પુત્રમાં આવેલી શ્યામતા એ (તેવા વર્ણવાળા) શાકાદિ આહારના પરિણામ પૂર્વકની છે. તેથી મિત્રાસ્ત્રીના આઠ પુત્રોમાંથી જે જે પુત્રોના ગર્ભસ્થકાળે શાકાદિ આહાર વધારે લેવામાં આવ્યો છે. એટલે કે જનની દ્વારા વધારે લેવાયેલા શાકાદિ આહારના પરિણામ પૂર્વકનું જે જે બાલક છે તે તે બાળક જ શ્યામ છે. પ્રથમના સાત પુત્રોના ગર્ભકાળે શાકાદિનો આહાર પરિણામ છે. તેથી તે શ્યામ છે. પરતું આઠમા પુત્રના ગર્ભકાળે શાકાદિ આહારનો પરિણામ નથી. તેથી તે શ્યામ નથી. છતાં ત્યાં મિત્રાતનયત્વ તો છે. માટે હેતુ સાધ્યાભાવમાં વર્તનારો હોવાથી ખોટો છે. છતાં હેતુ તરીકે પ્રયોગ કરીને જે વ્યામિ જણાવવામાં આવે છે તે વ્યાખ્યાભાસ-તર્કભાસ છે. શાકાદિ આહાર-પરિણામપૂર્વકનું મિત્રાતનયત્વ (સાત પુત્રોમાં) જ્યાં છે ત્યાં જ શ્યામવ સાધ્ય છે. પરંતુ શાકાદિ આહાર પરિણામ રહિત કેવલ એકલું મિત્રાતનયત્વ (આઠમા પુત્રમાં) જ્યાં છે. ત્યાં શ્યામત્વ નથી. આમ હોવા છતાં શાકાદિઆહાર પરિણામવાળા અને શાકાદિઆહાર પરિણામ વિનાના એમ “સ ” સર્વનો (૧થી૮ આઠ પુત્રોનો) સમાવેશ કરીને જે શ્યામત્વનો “પ્રત્યય" બોધ કરવામાં આવે છે. તે તર્ક સાચો તર્ક નથી પરંતુ ત = તકભાસ છે. તે ૬-૩૫-૩૬ો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy