SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ પરિચ્છેદ-૮ સૂત્ર-૨૨ રત્નાકરાવતારિકા ભાગ-૩ આમ બે પ્રયત્નથી બે કાર્યો કર્યા છે તેથી એક પ્રયત્નથી બે કાર્યો કરનારા જેટલો યશ આ પ્રતિવાદી પામતો નથી. પરંતુ પરપક્ષનું ખંડન કરીને સ્વપક્ષની સિદ્ધિ કરી છે. માટે વિજયલક્ષ્મી ચોક્કસ પામે જ છે. હવે જો પ્રતિવાદી સ્વપક્ષની સિદ્ધિ માટે “તપિ મનપાન " તે સાધનાન્સરને ન જણાવે અને વાદીએ જણાવેલા તત્વ હેતુની પક્ષમાં અવૃત્તિ હોવાથી અસિદ્ધતા છે આમ કેવળ એકલી “અસિદ્ધતા” જણાવીને વિરામ પામી જાય તો પરપક્ષનું (વાદીના પક્ષનું) ખંડન કરવા રૂપ અસિદ્ધતાનું જે ઉદ્ધાવન કર્યું. તેટલા પુરતી સ્લાધ્યતા (પ્રશંસા) માત્ર પામે છે. પરંતુ સ્વપક્ષની સિદ્ધિ કરી નથી તેથી વિજયલક્ષ્મી રૂપ પત્નીને પામતો નથી. - આખી વાતનો સારાંશ એ છે કે પ્રતિવાદી જો વાદીના અનુમાનમાં વિરુદ્ધતા જણાવે તો એક જ પ્રયત્નથી બે કાર્યો કરે છે માટે પ્રૌઢતા અને વિજયલક્ષ્મી બન્ને પામે છે. પરંતુ જો તે જ પ્રતિવાદી વ્યક્તિ વાદીના અનુમાનમાં અસિદ્ધતા જણાવે તો તેનાથી પરપક્ષનું ખંડન થાય છે પણ સ્વપક્ષની સિદ્ધિ થતી નથી. સ્વપક્ષની સિદ્ધિ માટે સાધનાતર કહેવું જ પડે છે. આમ બે પ્રયત્નથી બે કાર્યો થાય છે. તેથી વિજય મળે છે. પરંતુ એક પ્રયત્નથી બે કાર્યો કરવા જેટલી સ્લાધ્યતા મળતી નથી. અને જો અસિદ્ધતા જણાવીને વિરામ જ પામી જાય અને સાધનાન્તર ન જણાવે તો પરપક્ષનું ખંડન કરવા બદલ ગ્લાધ્યતા મળે છે. પરંતુ સ્વપક્ષની સિદ્ધિ ન કરી હોવાથી વિજયલક્ષ્મી પ્રાપ્ત થતી નથી. यदुदयनोऽप्युपादिशत्-“वादिवचनार्थमवगम्याऽनूद्य दूषयित्वा प्रतिवादी स्वपक्षे स्थापनां प्रयुञ्जीत, अप्रयुञ्जानस्तु दूषितपरपक्षोऽपि न विजयी, श्लाघ्यस्तु स्यात् आत्मानमरक्षन् परघातीव वीरः" इति । तद्यदीच्छेत् प्रौढतान्वितां विजयश्रियम्, तन्नाऽप्रयलोपनतां तयोः प्राणभूतां हेतोर्विरुद्धतामवधीरयेत् , निपुणतरमन्विष्य सति संभवे तामेव प्रसाधयेत् । न च विरुद्धत्वमुद्भाव्य स्वपक्षसिद्धये साधनान्तरमभिदधीत, व्यर्थत्वस्य प्रसक्तेः, एवं तृतीयकक्षास्थितेन वादिना विरुद्धत्वे परिहते चतुर्थकक्षायामपि प्रतिवादी तत्परिहारोद्धारमेव विदधीत, न तु दूषणान्तरमुद्भाव्य स्वपक्षं साधयेत्, कथाविरामाभावप्रसङ्गात् । नित्यः शब्दः कृतकत्वात्, इत्यादौ हि कृतकत्वस्य विरुद्धत्वमुद्भावयता प्रतिवादिना नियतं तस्यैवाऽनित्यत्वसिद्धौ साधनत्वमध्यवसितम्, अत एव न तदाऽसौ साधनान्तरमारचयति । स चेदयं चतुर्थकक्षायां तत्परिहारोद्धारमनवधारयन् प्रकारान्तरेण परपक्षं प्रतिक्षिपेत्, स्वपक्षं च साधयेत्, तदानीं वादिना तदूषणे कृते स पुनरन्यथा समर्थयेत्, इत्येवमनवस्था ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy