SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨ ૩૯૧ સૂત્રાર્થ- વાદી-પ્રતિવાદી અને સભ્યો વડે કહેવાયેલા વિષયનું અવધારણ કરવું, કલહ દૂર કરવો, અને આદિ શબ્દથી જય-પરાજયની જાહેરાત કરવી. ઇત્યાદિ આ સભાપતિનું કામ છે. || ૮-૨૧II वादिभ्यां सभ्यैश्चाभिहितस्याऽर्थस्याऽवधारणम्, वादिनोः कलहव्यपोहो यो येन जीयते स तस्य शिष्य इत्यादेर्वादि-प्रतिवादिभ्यां प्रतिज्ञातस्यार्थस्य कारणा, पारितोषिकवितरणादिकं च सभापतेः कर्म ॥ "विवेकवाचस्पतिरुच्छ्रिताज्ञः क्षमान्वितः संहृतपक्षपातः । सभापतिः प्रस्तुतवादिसभ्यैरभ्यर्थ्यते वादसमर्थनार्थम् ॥१॥८-२१॥" વિવેચન- આ સૂત્રમાં સભાપતિનું કર્તવ્ય શું છે ? તે સમજાવે છે. વાદી અને પ્રતિવાદી દ્વારા તથા સભ્યો દ્વારા જે જે અર્થો કહેવાયા, જે કોઇ દલીલો કરાઇ, તે સર્વને યાદ રાખવું, તે રાજાનું પ્રથમ ર્તવ્ય છે. વાદી-પ્રતિવાદી વચ્ચે થયેલો કલહ દૂર કરવો, “જે વ્યક્તિ જેના વડે જિતાય તે તેનો શિષ્ય બની જાય” આવી આવી જે કોઈ શરતો વાદી-પ્રતિવાદી વડે કરાઇ હોય, તે પ્રતિજ્ઞા કરેલા અર્થનું પાલન કરાવવું, તથા જિતનારાને પારિતોષિક આપવું. ઈત્યાદિ સભાપતિનું કાર્ય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે–વિવેકવાળી બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન, ઉત્કૃષ્ટ આજ્ઞાવાળા, ક્ષમાગુણથી યુક્ત, અને ત્યજી દીધો છે પક્ષપાત જેણે એવા સભાપતિ વાદના સમર્થન માટે પ્રસ્તુત એવા વાદી-પ્રતિવાદી અને સભ્યો વડે ઇચ્છાય છે. | ૮-૨૧ अवतरण- अथ जिगीषवादे कियत्कक्षं वादिप्रतिवादिभ्यां वक्तव्यमिति निर्णेतुमाहुः सजिगीषुकेऽस्मिन् यावत्सभ्यापेक्षं स्फूर्ती वक्तव्यम् ॥८-२२॥ અવતરણાર્થ– જ્યારે જિગીષની સાથે વાદ આરંભાયો હોય ત્યારે વાદી અને પ્રતિવાદીએ કેટલી કક્ષા સુધી (અર્થાત્ ક્યાં સુધી) બોલવું જોઈએ. તે વાતનો નિર્દેશ કરે છે સૂત્રાર્થ- જિગીષ એવા વાદી કે પ્રતિવાદીની સાથે આ વાદ થયે છતે જ્યાં સુધી સભ્યો (ને સાંભળવા)ની ફૂર્તિ હોય ત્યાં સુધી વાદી-પ્રતિવાદીએ બોલવું જોઇએ. I૮-૨શા सह जिगीषुणा जिगीषुभ्यां जिगीषुभिर्वा वर्तते योऽसौ तथा तस्मिन् वादे, वादिप्रतिवादिगतायाः स्वपक्षसिद्धिपरपक्षप्रतिक्षेपविषयायाः शक्तेरशक्तेश्च परीक्षणार्थं यावत् तत्रभवन्तः सभ्याः किलाऽपेक्षन्ते, तावत् कक्षाद्वयत्रयादि स्फूर्ती सत्यां वादिप्रतिवादिभ्यां वक्तव्यम् । ते च वाच्यौचित्यपरतन्त्रतया कदाचित् क्वचित् कियदप्यपेक्षन्ते इति नास्ति कश्चित् कक्षानियमः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy