SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ-૮ : સૂત્ર-૧૧ स्वात्मनि तत्त्वनिर्णिनीषौ वादिनि समुपस्थिते सति तृतीयस्य परत्र तत्त्वनिर्णिनीषोः क्षायोपशमिकज्ञानशालिनः प्रतिवादिनः कदाचिद् द्व्यङ्गो वादो भवति, यदा जयपराजयादिनिरपेक्षतयाऽपेक्षितस्तत्त्वावबोधो वादिनि प्रतिवादिना कर्त्तुं पार्यते, तदानीमितरस्य सभ्यसभापतिरूपस्याऽङ्गद्वयस्यानुपयोगात् । न ह्यनयोः स्वपरोपकारायैव प्रवृत्तयोः शाठ्यक लहादिलाभादिकामभावाः सम्भवन्ति । यदा पुनरुत्ताम्यताऽपि क्षायोपशमिकज्ञानशालिना प्रतिवादिना न कथंचित्तत्त्वनिर्णयः कर्तुं शक्यते, तदा तन्निर्णयार्थमुभाभ्यामपि सभ्यानामपेक्ष्यमाणत्वात् कलहलाभाद्यभिप्रायाभावेन सभापतेरनपेक्षणीयत्वात् त्र्यङ्गः ॥८-११॥ રત્નાકરાવતારિકા ભાગ-૩ વિવેચન– વાદી જ્યારે જિગીષુ હોય, અને પ્રતિવાદી જ્યારે ૧-૩-૪ નંબર હોય ત્યારે વાદ થાય છે, પરંતુ ૨ નંબર હોય ત્યારે વાદ ન થાય. આ જ નીતિરીતિ પ્રમાણે જ્યારે વાદી સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષુ નામે ૨ નંબર હોય અને સામે પ્રતિવાદી ૧-૨-૩-૪ નંબર ક્રમશઃ હોય ત્યારે તેમાં ૧ નંબર જિગીષુ હોવાથી અને ૨ નંબર સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષુ જ હોવાથી ત્યાં વાદ સંભવતો નથી. પરંતુ ૩-૪ નંબરની સાથે જ માત્ર વાદ સંભવે છે. ત્યાં જ્યારે ૩ નંબરની સાથે વાદ થાય ત્યારે એટલે કે મને પોતાને ગુરુજી આદિ પાસેથી તત્ત્વનો બોધ કેમ થાય ? એવો શિષ્યભાવ હૃદયમાં રાખીને સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષુ વાદી ઉપસ્થિત હોતે છતે ત્રણ નંબરના પરત્ર તત્ત્વનિર્ણિનીષુ એવા ક્ષાયોપશમિક જ્ઞાનશાલી પ્રતિવાદીની સાથે જ્યારે વાદ કરે છે. ત્યારે કયારેક વાદી અને પ્રતિવાદી'' આમ બે અંગ જ હોય છે. પ્રશ્ન- બે જ અંગ હોય અને સભ્ય તથા સભાપતિ ન હોય આવું કેમ બને છે? ઉત્તર- યદ્દા= જ્યારે જય અને પરાજય વગેરેની અપેક્ષા રાખ્યા વિના જ કેવલ એકલો તત્ત્વોનો અવબોધ જ કરવા-કરાવવાની અપેક્ષા હોય અને તે તત્ત્વાવબોધ પ્રતિવાદી (એવા ગુરુજી) વાદી (એવા શિષ્ય)માં કરાવવાને પોતે સમર્થ હોય ત્યારે બાકીનાં જે બે અંગો સભ્ય અને સભાપતિ રૂપ છે. તેનો ઉપયોગ ન હોવાથી પ્રથમનાં વાદીપ્રતિવાદી એમ બે અંગ જ હોય છે. શિષ્યને હૈયામાં સમજવાનો ભાવ છે. અને ગુરુજીને હૈયામાં સમજાવવાનો (વાત્સલ્ય) ભાવ છે. અને ગુરુજી પણ યુક્તિ-પ્રયુક્તિથી એવું સમજાવે છે કે શિષ્યને બરાબર સમજાઇ જ જાય છે. આ રીતે સ્વ અને પરના ઉપકાર માટે જ પ્રવૃત્તિ કરતા એવા તે શિષ્ય અને ગુરુજીમાં શાશ્ર્ચતા (લુચ્ચાઇ), કલહાદિ (સંક્લેશ વગેરે), અને લાભાદિની કામનાના ભાવો સંભવતા નથી. માટે આ બે વ્યક્તિને તત્ત્વનિર્ણય માટે ત્રીજી કોઇપણ વ્યક્તિની જરૂર રહેતી નથી. ૪૮ ૩૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy