SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ સૂત્ર-૧૦ ૩૭૫ તારો સ્તનભાગ ખરી ગયું છે સર્વ ચંદન જેના ઉપરથી એવો છે. તારા અધર (હોઠ) ચીમળાઈ ગયો છે લાલ રંગ જેના ઉપરથી એવા છે. તારાં નેત્રો દૂરથી જ અંજન વિનાનાં દેખાય છે. તારી આ કોમળ કાયા (અતિશય) પુલકિત (રોમાંચિત) થયેલી દેખાય છે. તેથી જુઠું બોલનારી હે દૂતિ ! અહીંથી તું વાવડીમાં સ્નાન કરવા જ ગઇ છે. પરંતુ અધમ એવા તે બાધવજનની પાસે નથી ગઈ. આ વાત ભાવિની પીડા (દંડ-શિક્ષા)ની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જ છે. શ્લોકનો વાચ્ય અર્થ છે કે તું વાવડીમાં સ્નાન કરવા ગઈ છે, પરંતુ તે પર પુરુષ પાસે ગઈ નથી. પરંતુ વ્યંગ્ય અર્થ એવો છે કે જ્યાં સુધી તને કડકાઇથી કહેવામાં નહી આવે, શિક્ષા કરવામાં નહી આવે, અર્થાત્ ગર્ભધારણ આદિ ભાવિની પીડાનું આગમન ન થાય ત્યાં સુધી જ આ સાચું છે. પરંતુ ખરેખર તું વાવડીમાં સ્નાન કરવા ગઈ નથી, પરંતુ અધમ એવા તે પર પુરુષ પાસે જ ગઇ હતી. શ્લોકના ચોથા ચરણમાં કહેલો ન શબ્દ બન્ને બાજુ લગાડી શકાય છે. અને તેથી બે અર્થો થાય છે. આ રીતે પ્રસિદ્ધ અર્થવાળો અંશ જ્યારે અપ્રસિદ્ધ અંશની સાથે મિશ્ર થયો હોય છે. ત્યારે બન્નેને સાથે વિધાન કરવું તે અનુચિત નથી. (૧) તત્ર વાહિતિવાહિનોરમાવે = ત્યાં વાદી અને પ્રતિવાદી, આ બે પાત્રોના અભાવમાં કે બેમાંના કોઇપણ એક પાત્રના અભાવમાં વાદ જ સંભવતો નથી તો પછી જય અને પરાજયની વ્યવસ્થા તો અતિશય દૂર જ રહે છે. આ કારણથી વાદી-પ્રતિવાદીનું વાદમાં હોવાપણું સ્વતઃ સિદ્ધ જ છે. (૨) તત્ર = = હવે વાદીની જેમ પ્રતિવાદી પણ જો જિગીષ જ હોય તો બન્ને વચ્ચે પરસ્પર લુચ્ચાઈનો અને સંક્લેશ (કજીયા) આદિનો સંભવ છે. કે જે શાશ્યતા અને સંક્લેશને કરનાર છે. તથા જય અને પરાજયની વ્યવસ્થાના વિલોપને કરનાર છે. તેથી તેના નિવારણ માટે, અથવા કોઈપણ એકને (યુક્તિયુક્ત બોલે તેનો) જય અને બીજાને પરાજયનો લાભ થાય. તેટલા માટે બાકીનાં બે અંગો (સભ્ય અને સભાપતિ)ની પણ અવશ્ય અપેક્ષા રાખવી જોઇએ. (૩) થ = હવે વાદી જિગીષ હોય, પરંતુ સામે જે પ્રતિવાદી છે. તે જો ત્રીજા અને ચોથા નંબરના હોય એટલે કે ક્ષાયોપથમિકશાનશાલી કે કેવલી એવા પરત્ર તત્ત્વનિર્ણિનીષ હોય તો પણ જિગીષ એવો જે આ વાદી છે. તે જય-પરાજયની (પોતાના જયની અને અન્યના પરાજયની) જ તીવ્ર ઇચ્છાવાળો હોવાથી અને આ ત્રીજા-ચોથા પ્રતિવાદીની સાથે શાક્ય (લુચ્ચાઈ) અને કલહાદિ (સંક્લેશ વગેરે) કરવાનો જ છે તેથી તે સંક્લેશને દૂર કરવા માટે વાદમાં તપેશ્યતિ પર્વ=તે અપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy