SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૩ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮: સૂત્ર-૧૦ प्रारम्भकेण लाभपूजाख्यात्यादिहेतवे तदपेक्ष्यत एवेति सिद्धैव चतुरङ्गता । स्वात्मनि तत्त्व-निर्णिनीषुस्तु जिगीषु प्रति वादितां प्रतिवादितां च न प्रतिपद्यते, स्वयं तत्त्वनिर्णयानभिमाने परावबोधार्थं प्रवृत्तेरभावात् , तस्मात् तत्त्वनिर्णयासम्भवाच्च, इति नायमिहोत्तरत्र च निर्दिश्यते ॥८-१०॥ વિવેચન- વાદી અને પ્રતિવાદી આ બન્ને વચ્ચે જ્યારે જ્યારે વાદ પ્રારંભાય છે ત્યારે ત્યારે “ચાર અંગો” હોય છે. જેનાં નામો હવે પછી આવનારા. ૧૫માં સૂત્રમાં છે. ૧. વાદી, ૨. પ્રતિવાદી, ૩. સભ્ય, ૪. સભાપતિ. પૂર્વે કરેલા વાદ કરનારાના ૧૨ ભેદોમાં કયા પ્રકાર વખતે આ ચાર અંગોમાંથી કેટલાં અંગો હોય ? તે હવે સમજાવે છે. જિગીષ, સ્વાત્મનિ, ક્ષાયોપથમિક, અને કેવલી આમ ચાર પ્રકારના વાદી પૂર્વે કહી ગયા છીએ. તે પૂર્વે કહેલા ચાર પ્રકારના વાદીમાંથી “જિગીષ” નામનો જો પ્રથમ વાદી હોય, અને તેની સામે પ્રથમ0 નિષોવ=પ્રથમ જિગીષ એવો પ્રતિવાદી હોય ત્યારે, તથા તૃતીયસ્થ પરત્ર તત્ત્વનિર્જાિનીપુખેથ ક્ષાયોપાણિજ્ઞાનનિન તત્ર્યવ=પરત્ર તત્ત્વનિર્ણિનીષ નામના ભેદનો ક્ષાયોપથમિક જ્ઞાનશાલી નામનો તેનો જ જે પ્રતિભેદ ત્રીજા નંબરે છે. તે પ્રતિવાદી હોય ત્યારે, તથા સુયશ ત્નિ: પ્રત્યારબ્ધ પ્રતિવાહિત=સામે વાદ કરનાર તરીકે ચોથા નંબરના કેવલી પરમાત્મા પ્રતિવાદી હોય ત્યારે ચારે અંગો (વાદી-પ્રતિવાદી-સભ્ય અને સભાપતિ) હોય તો જ વાદ પ્રારંભાય છે. સારાંશ કે જિગીષ નામના પ્રથમ વાદીની સાથે પ્રથમ-તૃતીય અને ચતુર્થ પ્રકારના પ્રતિવાદી હોય ત્યારે વાદ થઈ શકે છે. અને તે વખતે ચારે અંગો હોવાં જરૂરી છે. પ્રશ્ન- મૂલસૂત્રમાં “વી" શબ્દ તો નથી. તો “વાદ થાય છે” એવો અર્થ કેવી રીતે થાય ? ઉત્તર- “yRUTI વાવો ભવતિ" મૂલસૂત્રમાં જો કે –“વાદ થાય છે” આ શબ્દ નથી. તો પણ આ પ્રકરણ વાદનું જ ચાલે છે. માટે ચતુર પર્વ આ વિશેષણના વિશેષ્ય રૂપે, આ જ પરિચ્છેદના પ્રથમસૂત્રમાંથી “વા " શબ્દ લાવીને મતિ શબ્દ અધ્યાહારથી જોડી દેવો. આ વાદમાં ચારે અંગોની આવશ્યકતા રહે છે. કારણકે વાદી અને પ્રતિવાદી તો વાદ કરનારા જ છે. તેથી તે બે અંગોનો અભાવ લઇએ, અથવા આ બે અંગોમાંથી કોઇપણ એક અંગનો જો અભાવ લઇએ, તો વાદની જ અનુત્થાનતા થાય. એટલે કે વાદની જ અનુત્પત્તિ થવા વડે વાત સમાપ્ત જ થઇ જાય છે. તેથી આ બે અંગો તો હોવો જ જોઈએ. આ વાત સહજસિદ્ધ છે. લખવાની જરૂર નથી. તથા બાકીનાં બીજાં બે અંગોની પણ અવશ્ય જરૂરિયાત છે. આ ભાવ જણાવવા માટે “ચતુરંગવ” કહેલ છે. પ્રથમનાં બે અંગો સહજ સિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy