SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૧૯ सिद्धावपरायत्ततया प्राधान्येन विवक्षितत्वात् । स्व-पर- व्यवसितिलक्षणा क्रिया पुनः साध्या, कर्तृनिर्वर्त्यत्वात्, या कर्तृनिर्वर्त्या क्रिया, सा साध्येतिव्यवहारयोग्या, यथा संप्रतिपन्ना तथा च स्व-पर-व्यवसितिक्रियेति । तदेवं कर्तृक्रिययोः साध्य-साधकभावेन प्रतीयमानत्वादुपपन्नः कथञ्चिद् भेदः ॥ ६-१९॥ પ્રમાતા એવો કર્તા, અને વ્યવસિતિક્રિયા એ ફળ, આ બન્નેના બનેલા પક્ષમાં કથંચિદ્ ભેદ સાધ્ય છે. તેમાં સાધ્ય-સાધકભાવે ઉપલંભ એ હેતુ છે. (જુઓ સૂત્ર ૧૭૧૮) અહીં કોઈ પ્રતિવાદી ગ્રંથકારના આ હેતુને પક્ષમાં અવૃત્તિ છે એમ માનીને અસિદ્ધહેત્વાભાસ કદાચ બનાવે તો તે પ્રતિવાદી અસિદ્ધ બનાવે તે પહેલાં જ ગ્રંથકારશ્રી અસિદ્ધતા દૂર કરે છે. ૧૯ સૂત્રાર્થ- કર્તા (એવો આત્મા) સ્વતંત્ર હોવાથી સાધક છે. અને ક્રિયા એ કર્તાથી નિર્વર્ત્ય (જન્ય) હોવાથી સાધ્ય છે. || ૬-૧૯|| ટીકાર્થ- કોઇપણ કર્તાથી કોઈ પણ ક્રિયા જ્યારે જ્યારે થાય છે. ત્યારે ત્યારે કર્તા એ સ્વતંત્ર હોવાથી સાધક છે. અને ક્રિયા એ કર્તાથી જન્ય (અર્થાત્ પરતંત્ર) હોવાથી સાધ્ય છે. એટલે કે કર્તા અને ક્રિયા વચ્ચે અવશ્ય સાધ્ય-સાધકભાવ (હેતુ) વર્તે જ છે. માટે અમારો હેતુ અસિદ્ધહેત્વાભાસ નથી. અહીં સ્વતન્ત્ર શબ્દમાં સ્વ એટલે આત્મા, અને તન્ત્ર એટલે પ્રધાન, આત્મા છે પ્રધાન જેમાં—અર્થાત્ પોતે જ પ્રધાન છે જેમાં તે સ્વતન્ત્ર કહેવાય છે. તેવા પ્રકારનું સ્વતન્ત્રપણું તેનું નામ સ્વતન્ત્રતા, ક્રિયા કરનાર આત્મા સ્વતન્ત્રતાવાળો હોવાથી સાધક કહેવાય છે. કારણકે ક્રિયા કરવામાં જે સ્વતંત્ર હોય છે. તેને સાધક કહેવાય છે. જેમકે—લાકડાનું છેદન કાર્ય કરવામાં (વ્રશ્ચન) છરી, કુહાડો. તેવી જ રીતે સ્વ-પરનો વ્યવસાય (બોધ) કરવા સ્વરૂપ ક્રિયા કરવામાં પ્રમાતા (એવો આત્મા) જ સ્વતંત્ર છે. માટે તેને સાધક કહેવાય છે. પ્રશ્ન- કર્તા એવા આત્માને જ સ્વતંત્ર કેમ કહેવાય ? ઉત્તર- તે તે ક્રિયાસિદ્ધિમાં (એટલે કે તે તે ક્રિયા કરવામાં) અ-પાયત્તતયા= પરને આધીન ન હોવાથી કર્તા જ પ્રધાનપણે વિવક્ષાય છે. જેમકે- લાકડાની છેદનક્રિયામાં કર્મકારક કાષ્ઠ, કરણકારક કુહાડો, અને અન્યકારક અપાદાનાદિ, આ સર્વકા૨કોને સુથાર મેળવી શકે છે. પરંતુ કાષ્ઠાદિ બધાં કારકો મળ્યાં હોય અને કર્તા સુથાર જો ન હોય, તો તેઓ સુથારને મેળવી શકતાં નથી. માટે કર્તા સુથાર જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy