SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ જૈન–હે નૈયાયિક ! આ વાત ઇતર સ્થાને પણ તુલ્ય છે. રાગ અને દ્વેષ એ બને સંસારનાં કારણો છે. આમ સમજનારો આ મુમુક્ષુ મોક્ષના સુખ ઉપર પણ અંતે રાગ કેમ કરે ? અર્થાત્ ન જ કરે. આ રીતે સર્વ કર્મોના ક્ષયથી પરમ સુખ સંવેદનાત્મક મોક્ષ છે પરંતુ બુદ્ધિ આદિ વિશેષગુણોના ઉચ્છેદરૂપ મુક્તિ નથી. આ વાત નિર્વિવાદ સિદ્ધ થઈ. अथ दिक्पटा: प्रकटयन्ति-भवत्वेतादृशस्वरूपो मोक्षः, स तूपात्तस्त्रीशरीरस्यात्मन इति न मृष्यामहे । न खलु स्त्रियो मुक्तिभाजो भवन्ति । तथा च प्रभाचन्द्रः-स्त्रीणां न मोक्षः, पुरुषेभ्यो हीनत्वाद् , नपुंसकादिवदिति । अथ ब्रूमः-सामान्येनाऽत्र धर्मित्वेनोपात्ताः स्त्रियः, विवादास्पदीभूता वा । प्राचि पक्षे पक्षकदेशे सिद्धसाध्यता, असंख्यातवर्षायुष्कदुष्षमादिकालोत्पन्नतिरश्चीदेव्यभव्यादिस्त्रीणां भूयसीनामस्माभिरपि मोक्षाभावस्याभिधानात् । द्वितीये तु न्यूनता पक्षस्य, विवादास्पदीभूतेति विशेषणं विना नियतस्त्रीलाभाभावात्, प्रकरणादेव तल्लाभे पक्षोपादानमपि तत एव कार्यं न स्यात् , तथाऽप्युपादाने नियतस्यैव तस्योपादानमवदातम्, यथा धानुष्कस्य नियतस्यैव लक्ष्यस्योपदर्शनमिति ॥ દિગંબર જૈન કહે છે કે- આઠકર્મોના ક્ષયથી થનારી, ઐ કાતિક તથા આત્યનિક અનંત સુખના સંવેદન સ્વરૂપ મુક્તિ છે. આ વાત જે ઉપર સમજાવવામાં આવી. તે બરાબર છે. આવા સ્વરૂપવાળી મુક્તિ છે. આ બાબતમાં અમને વિવાદ નથી. પરંતુ આવી મુક્તિ “તોપાત્તપુત્રીશારીર" પ્રાપ્ત કર્યું છે. પુરુષ અને સ્ત્રીનું શરીર જેણે એવા જીવને થાય છે આમ ગ્રંથકારે મૂળસૂત્રમાં જે કહ્યું છે તેમાં સ્ત્રી શરીર પ્રાપ્ત કરનારા આત્માને તે મુક્તિ થાય છે. આ બાબત અમે સહન કરતા નથી. અર્થાત્ માનતા નથી. આવી મુક્તિ માત્ર પુરુષને જ થાય છે. સ્ત્રીને થતી નથી. સ્ત્રી એ મૃત્યુ પામી ભવાન્તરમાં પુરુષ થઈ મુક્તિ પામે છે. પરંતુ વર્તમાનભવમાં સ્ત્રીઓ મુક્તિને પામનાર બનતી નથી. પ્રભાચંદ્ર નામના આચાર્યે કહ્યું છે કે“સ્ત્રીઓને મુક્તિ થતી નથી” પુરુષોથી હીન છે માટે, નપુંસકાદિની જેમ.” આ અનુમાનમાં સ્ત્રી આ પક્ષ છે. 7 મોક્ષ આ સાધ્ય છે. પુષ્યઃ હીનત્વત્ આ હેતુ છે. અને નપુસંહિવત્ આ ઉદાહરણ છે. શ્વેતાંબર જૈન- ઉપરોક્ત દિગંબરના પ્રશ્નનો ઉત્તર અમે (શ્વેતાંબર) હવે આપીએ છીએ કે–“સ્ત્રીઓને મુક્તિ થતી નથી” આ અનુમાનમાં ધર્મી (પક્ષ) તરીકે કહેલી સ્ત્રીઓ શું સામાન્યથી કહી છે કે વિવાદાસ્પદીભૂત સ્ત્રીઓ કહી છે. અર્થાત્ સામાન્યથી કોઇપણ સ્ત્રી મોક્ષે ન જાય એમ કહેવા માગો છો કે મરુદેવા-ચંદનબાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy