SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭: સૂત્ર-૫૭ ૩૨૫ અશુભ (પાપ) સ્વરૂપ જે અદૃષ્ટ (કર્મ) છે. તેના વિપાકોદયના પ્રભાવથી સંસારસંબંધી પરસ્પર સંયુક્ત એવા જે પ્રિયાપ્રિય (એટલે સુખ અને દુઃખ) નામના વૈભાવિકગુણો છે તેનો જ મોક્ષે જતાં (કર્મ ક્ષય થવાથી) ક્ષય થાય છે. તેથી તેવા વૈભાવિક ગુણોને આશ્રયી આ આગમપાઠ છે. વળી સંસારાવસ્થામાં જે કોઈ ભોગજન્યસુખ છે તે ઉપાધિઓ રૂપ દુઃખથી અનુષક્ત (યુક્ત) જ હોય છે. આવું દુઃખ અને સુખ કે જે કર્મોદયજન્ય છે. અને વૈભાવિક છે તેનો જ મુક્તિએ જતાં ક્ષય થાય છે. પરંતુ સકળ અદષ્ટનો (સર્વકર્મોનો) ક્ષય છે કારણ જેમાં એવું ઐકાનિતક અને આત્મત્તિક સ્વરૂપ કેવળ એકલું (એટલે કે દુઃખ વિનાનું) માત્ર સુખ જ મુક્તિદશામાં જે ઇચ્છાય છે. તેવા સર્વ કર્મ ક્ષયજન્ય, દુઃખથી રહિત, અને સ્વાભાવિક સુખનો નિષેધ કેમ કરાય ? તમે જણાવેલા આગમપાઠોનો અર્થ પણ આવો જ કરવો જોઇએ કારણકે આ અર્થને જ અનુસરનારી સ્મૃતિ પણ જણાય છે. “જ્યાં બુદ્ધિથી જ માત્ર ગ્રાહ્ય અને ઇન્દ્રિયોથી અગ્રાહ્ય (એટલે કે અતીન્દ્રિય) આવા પ્રકારનું સુખ જ્યાં વર્તે છે. તેને જ મોક્ષ કહેવાય છે. આ મોક્ષ અકૃતાત્મા વડે (જે આત્માઓએ આત્મસાધન કર્યું નથી તેવા આત્માઓ વડે) દુષ્માપ્ય છે.” આ સ્મૃતિપાઠ મુક્તિમાં સુખનું વિધાન કરે છે. તેથી આગમ પાઠોના અર્થો એવા કરવા જોઇએ કે પૂર્વાપર ક્યાંય વિરોધ ન આવે. નૈયાયિકાદિ–સ્કૃતિના ઉપરોક્ત પાઠમાં બુદ્ધિગ્રાહ્ય અને અતીન્દ્રિય સુખવાળી મુક્તિ જે જણાવી છે. ત્યાં વપરાયેલ સુખશબ્દ દુઃખાભાવ માત્રમાં જ વર્તતો હોય એવું કાં ન બને ? એટલે કે મુક્તિમાં સુખ છે એમ નહી. પરંતુ દુઃખનો અભાવ છે. અને તે દુઃખના અભાવને જ સુખ કહેવાય છે. આવો અર્થ કરીએ તો શું ? જૈન– ર સુવો આ સુખ શબ્દ ફક્ત દુઃખાભાવ માત્રમાં જ વર્તમાન નથી. પરંતુ મુખ્ય સુખ વાચી છે. ત્યાં વાસ્તવિક સુખ છે. આમ કહેવામાં કોઈ બાધક (દોષ) નથી. એટલે કે મુક્તિમાં દુઃખાભાવ જ છે અને તેને જ સુખ કહેવાય છે એમ નહીં, પરંતુ સ્વગુણોની રમણતાના આનંદના અનુભવ રૂપ પારમાર્થિક અનંતસુખ વ છે. તેથી મુક્તજીવોને સુખ છે જ. નવ ગુણોના ક્ષયરૂપ મુક્તિ નથી. વળી હે તૈયાયિક ! તમારો કહેલો મોક્ષ પુરુષોને ઉપાદેય તરીકે માન્ય થશે નહીં, કારણકે જો મોક્ષમાં બુદ્ધિ-સુખ-આનંદ આદિ ગુણોનો ધ્વંસ જ હોય તો. (૧) પોતાના આત્માને પથ્થરના ટુકડા તુલ્ય (સર્વથા જ્ઞાન વિનાનો) જડ કરવાને કોણ ઇચ્છે ? તથા (૨) ચાલ્યો ગયો છે સર્વ સુખના સંવેદનાનો સ્પર્શ જેમાંથી એવો પણ પોતાનો આત્મા કરવાને કોણ ઇચ્છે ? પરંતુ વિચક્ષણ પુરુષો મોક્ષસુખને આવા પ્રકારનું જણાવે છે કે- સોપાધિક, સાવલિક અને પરિમિત એવા સાંસારિક આનંદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy